શોધખોળ કરો

Surya Mantra: ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે સૂર્ય દેવના આ મંત્ર, રવિવારે કરો અચૂક જાપ

Sunday Remedy: જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યનું સ્થાન બળવાન હોય છે તેને સમાજમાં ઘણું સન્માન મળે છે. આ લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે.

Sunday Upay: રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્ય ભગવાનને વિશ્વનો આત્મા માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવાના અગણિત ફાયદા છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યનું સ્થાન બળવાન હોય છે તેને સમાજમાં ઘણું સન્માન મળે છે. આ લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે. આ લોકોને મોટાભાગના કાર્યોમાં સફળતા મળે છે. રવિવારના દિવસે સૂર્યના કેટલાક મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મંત્રોના જાપ કરવાથી જીવનમાં ઉર્જા આવે છે અને સ્વસ્થ શરીરનું વરદાન મળે છે.

સૂર્ય દેવના ચમત્કારી મંત્રો

ॐ हृां मित्राय नम:

સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવાથી સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે. આ મંત્રના શુભ પ્રભાવથી તમારી કામ કરવાની ક્ષમતા વધે છે. સૂર્ય ભગવાનના આ ચમત્કારી મંત્રનો જાપ તેમને અર્ઘ્ય અર્પણ કરતી વખતે નિયમિતપણે કરવો જોઈએ.

ॐ हृीं रवये नम:

જે લોકોનું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ રહેતું હોય તે લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. સૂર્યદેવની સામે ઉભા રહીને આ ચમત્કારી મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ સ્વસ્થ અને ફિટ શરીર મેળવે છે.

ॐ हूं सूर्याय नम:

સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના તણાવ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ મંત્રની અસરથી બુદ્ધિ વધે છે અને એકાગ્રતા રહે છે. આ મંત્ર તમને જીવનમાં પ્રગતિ કરવામાં મદદ કરે છે.

ॐ हृ: पूषणे नम:

સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં બળ અને બહાદુરી વધે છે. આનો જાપ કરવાથી જીવનમાં સંયમ અને ધૈર્ય વધે છે. આ મંત્રનો જાપ કરવાથી માણસનું મન ધાર્મિક કાર્યોમાં પણ વ્યસ્ત થઈ જાય છે.

ॐ ह्रां हिरण्यगर्भाय नमः

દરેક વિદ્યાર્થીએ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તેમને વિશેષ લાભ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. તેના શુભ પ્રભાવથી તમે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો.

ॐ आदित्याय नमः

સૂર્યના આ મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ તેજ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ મંત્રનો જાપ કરવાથી સમાજમાં માન-સન્માનનો લાભ પણ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની લોકપ્રિયતા વધે છે.

ॐ भास्कराय नमः

આ મંત્રનો જાપ કરવાથી શરીરની આંતરિક અને બાહ્ય સ્વચ્છતા રહે છે. સાથે જ મન પણ પ્રસન્ન રહે છે. તેનો નિયમિત જાપ કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા જળવાઈ રહે છે. આ સિવાય વ્યક્તિની કાર્યક્ષમતા પણ વધે છે. સૂર્યના આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

રવિવારે આ મંત્રોનો જાપ કરવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કર્યા પછી, સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો ઉચ્ચાર યોગ્ય રીતે કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget