શોધખોળ કરો

Pitru Paksha Niyam: પૂર્વજોનું શ્રાદ્ધ કરતા પહેલા આ નિયમ જાણી લો, આ ભૂલ દોહરાવશો તો પિતૃના આશિષથી રહેશો વંચિત

Pitru Paksha 2024: હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે, કહેવાય છે કે આ સમયે પિતૃ પૃથ્વી પર આવે છે અને તેથી લોકો પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરે છે. જો કે શ્રાદ્ધના કેટલાક નિયમો છે, તેને અનુસરવામાં આવે તો પિતૃને ખરા અર્થમાં તેનાથી સંતુષ્ટી મળે છે અને પિતૃ પ્રસન્ન થાય છે.

Pitru Paksha 2024: પિતૃપક્ષના 16 દિવસ પિત્તૃને સમર્પિત છે. આ દિવસોમાં લોકો તેના પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરીને શ્રાદ્ધ કરે છે.જો કે શ્રાદ્ધ કરવાના કેટલાક નિયમો છે. જેને જો ન  અનુસરવામાં આવે તો શ્રાદ્ધ પિત્તૃને સંતૂષ્ટી આપતું નથી અને તેનું ફળ મળતું નથી. પિત્તૃની સંતુષ્ટી અને તેના આશિષ મેળવવવા માટે નિયમોથી શ્રાદ્ધ કરવુ જોઇએ. જાણીએ શાસ્ત્રમાં શ્રાદ્ધના શું છે નિયમો. જ્યોતિષાચાર્ય તુષાર જોષીએ કેટલાક નિયમોનો અહીં ઉલ્લેખ કર્યો છે. જાણીએ પિત્તૃ પક્ષમાાં શ્રાદ્ધ કરવાના નિયમો. 

શાસ્ત્રો કહે છે કે એકાદશીના દિવસે શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુષ્કર ખંડમાં ભગવાન શંકરે પાર્વતીજીને સ્પષ્ટપણે કહ્યું છે કે, જે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે, જે શ્રાદ્ધ કરે છે, શ્રાદ્ધને ભોજન કરાવે છે અને જેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે તે ત્રણેય નર્કગામી બને છે. એકદશીના બદવે દ્વાદશી પર શ્રાદ્ધ કરવું ઉત્તમ રહે છે.

આ મુદ્દે આપણા મહાપુરુષોએ એક સમાધાન આપ્યું છે જો આપ એકાદશીએ શ્રાદ્ધ કરવા ઇચ્છો છો તો એકાદશીના દિવસે પહેલા  પિતૃઓની પૂજા કરો. પજા કર્યાં બાદ  બ્રાહ્મણને ફળાહાર આપો, બ્રાહ્મણે એકાદશીનું વ્રત ન કર્યું હોય તો પણ બ્રાહ્ણણને માત્ર ફળાહાર અર્પણ કરો.

એક એવું પણ વિધાન છે કે, શ્રાદ્ધ દરમિયાન સ્ત્રીને ક્યારેય શ્રાદ્ધ નથી ખવડાવાનું આવતું. આજકાલ એક ચણલ જોવા મળી રહ્યું છે કે જો જો પિતાનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણ  પંડિતજીને ભોજન કરાવવામાં આવે છે અને  જો માતાનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણ સ્ત્રીને ભોજન કરાવવામાં આવે છે.  જો કે આ  શાસ્ત્રો વિરુદ્ધ છે.  શાસ્ત્ર્માં સ્ત્રીને શ્રાદ્ધ ભોજનની મંજૂરી નથી, કારણ કે સ્ત્રીઓ જનોઇ નથી પહેરતી.  બ્રાહ્રણ સાથે તેમની પત્ની અને બાળકોને આમંત્રણ આપવામાં આવે તો કંઇ વર્જિત નથી પરંતુ એકલી મહિલાને શ્રાદ્ધનું ભોજન કરાવવું શાસ્ત્ર વિરૂદ્ધ છે.

 પહેલા પિત્તૃને થાળી ન આપો.

પિતૃઓની પૂજામાં ક્યારેય પણ પિતૃઓને થાળી સીધી ન આપવી જોઈએ. વૈષ્ણવ ધર્મમાં, સૌપ્રથમ ભોજન તૈયાર કરીને પ્રથમ ઠાકુર જીને અર્પણ કરવું જોઈએ, અને પછી પિતૃને  પ્રસાદ આપવો જોઈએ, તેનું કારણ એ છે કે, વૈષ્ણવો ક્યારેય કોઈને કોઈ અમાનિયા વસ્તુ આપતા નથી. માત્ર ભગવાનનો પ્રસાદ ચઢાવવામાં આવશે અને પિતૃઓને ભગવાનનો પ્રસાદ આપવાથી તેઓ તૃપ્ત થશે અને આશિષ આપશે.

માત્ર શ્રાદ્ધ જ નહીં,  પિતૃ માટે  ગીતાનો પાઠ કરવો જોઈએ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનમ, મહામંત્રનો જાપ કરવો જોઈએ અને પૂર્વજોના નામનું સ્મરણ કરવું જોઈએ. જ્યાં સુધી આપણી પાસે આ પાંચ ભૌતિક શરીર છે ત્યાં સુધી પિતૃ સંસ્કાર કરવાની જવાબદારી આપણી છે, આપણે આ સંબંધમાં આપેલા શાસ્ત્રો અને સૂચનાઓનું પાલન કરવું પડશે.

 ગયા જી કર્યા પછી પણ શ્રાદ્ધ કરવું જોઈએ. ગયાજીનું શ્રાદ્ધ એ એક વિશેષ વિધિ છે, અને દર વર્ષની પિતૃતિથિ પર શ્રાદ્ધ એ આપણી દૈનિક વિધિ છે. તેથી ગયા જી પછી પણ શ્રાદ્ધ કરવું એ ગરુડ પુરાણ પ્રમાણે ધાર્મિક છે. આ તમામ કાર્યો આપણા ઋષિમુનિઓએ સનાતન હિંદુ ધર્મના અનુયાયીઓ માટે સૂચવ્યા છે. આની વિગતવાર સમજૂતી છે, અહીં અમે ફક્ત ટૂંકમાં આપી રહ્યા છીએ.

દરેક ધર્મમાં તેના પૂર્વજો માટે મોક્ષ મેળવવાની અલગ અલગ પ્રક્રિયા હોય છે. જેનું તેઓ પાલન કરે છે. નાસ્તિકો માટે અહીં કોઈ સ્થાન નથી. કારણ કે કહેવાય છે કે નાસ્તિક પણ મૃત્યુ પછી ભૂતાવસ્થામાં જાય છે.

-જ્યોતિષાચાર્ય તુષાર જોશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા
Today's Horoscope: કર્ક રાશિને મળશે કર્જથી મુક્તિ, જાણો 12 રાશિનું મંગળવારનું રાશિફળ
Today's Horoscope: કર્ક રાશિને મળશે કર્જથી મુક્તિ, જાણો 12 રાશિનું મંગળવારનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Embed widget