શોધખોળ કરો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

ભારતીય ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ચાહકો અને અનુભવી ક્રિકેટરોને ચોંકાવી દીધા છે

R Ashwin Retirement: ભારતીય ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ચાહકો અને અનુભવી ક્રિકેટરોને ચોંકાવી દીધા છે. અશ્વિને બુધવારે (18 ડિસેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ તરત જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેને ગાબા ટેસ્ટના પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું ન હતું. પરંતુ હવે અશ્વિનની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો થયો છે.

રિપોર્ટ્સનું માનીએ તો અશ્વિને એક મહિના અગાઉથી જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. તેણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને પ્લેઈંગ-11માં સ્થાન ન મળે અને ટીમમાં તેની જરૂર ન હોય તો તે નિવૃત્તિ લઈ લે તો સારું રહેશે.

મેં એક મહિના પહેલા નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું

નોંધનીય છે કે ભારતીય ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચોની હોમ સિરીઝ રમી હતી. જેમાં કિવી ટીમે 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ હાર બાદ જ અશ્વિને નવેમ્બરની શરૂઆતમાં નિવૃત્તિનો આ પ્લાન બનાવ્યો હતો.

અશ્વિન સમજી ગયો હતો કે હવે તેનું ભારતીય ટીમમાં કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પર્થ ટેસ્ટ બાદ તેણે કેપ્ટન રોહિત શર્માને પણ આ જ સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યું હતું કે જો મારી ટીમમાં જરૂર નથી તો હું નિવૃત્તિ લઈ લઈશ.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં યોજાઈ હતી, જેમાં રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ સંભાળી હતી. અશ્વિનને આ મેચમાં સ્થાન મળ્યું ન હતું. એક રિપોર્ટ અનુસાર, અશ્વિને નિવૃત્તિ લેવાનો નિર્ણય અહીં જ લીધો હતો. પરંતુ રોહિત બીજી ટેસ્ટમાં પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટને અશ્વિનને એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ માટે મનાવી લીધો અને તેને પ્લેઈંગ-11માં સામેલ કર્યો હતો રોહિતે પોતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.

અશ્વિન ઓસ્ટ્રેલિયા જવા પણ ઈચ્છતો નહોતો

એવું માનવામાં આવે છે કે ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી બાદથી જ તેના મનમાં નિવૃત્તિનો વિચાર આવ્યો હતો. આ શ્રેણીમાં ભારતને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે જો ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન તેને પ્લેઈંગ-11માં સ્થાન નહીં મળે તો તે ઓસ્ટ્રેલિયા જશે નહીં.

ભારતે પર્થમાં અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને મહત્વ આપ્યું હતું. ત્યારબાદ રોહિતની વિનંતી પર અનુભવી ઑફ-સ્પિનર પિંક બોલ ટેસ્ટમાં પ્લેઇંગ-11માં પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા બ્રિસ્બેન ટેસ્ટમાં રમ્યો હતો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'સિલેકશન કમિટી તરફથી કોઈ સંકેત મળ્યો નથી. અશ્વિન ભારતીય ક્રિકેટમાં દિગ્ગજ છે અને તેને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. આગામી ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડમાં છે (જૂનથી ઓગસ્ટ), જ્યાં ભારત બે કરતાં વધુ નિષ્ણાત સ્પિનરોને લઈ શકશે નહીં જેઓ બેટ્સમેન પણ છે. ભારતની આગામી હોમ ટેસ્ટ સીરિઝ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં છે.

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Embed widget