શોધખોળ કરો

12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

Jupiter Transit 2026: 2 જૂને દેવગુરુ ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કર્યો છે. 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ આ જ રાશિમાં રહેશે, જેનાથી મેષ, કર્ક, કન્યા અને મીન રાશિના લોકો માટે સુવર્ણ કાળ શરૂ થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેવગુરુ ગુરુ 12 વર્ષ બાદ કર્ક રાશિમાં બિરાજમાન થયા છે.
  • આ ગોચર 31 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.
  • મેષ, કર્ક, કન્યા અને મીન રાશિઓ માટે આ સમય લાભદાયી.
  • ભાગ્યશાળી રાશિઓને આર્થિક, કારકિર્દી અને પારિવારિક સુખ મળશે.

jupiter transit cancer 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2 જૂનની વહેલી સવારે 2:25 વાગ્યે દેવગુરુ ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્કમાં પ્રવેશ કરી લીધો છે. પૂરા 12 વર્ષ બાદ બનેલી આ ઘટનાને ગુરુનું 'મહાગોચર' કહેવામાં આવી રહ્યું છે. ગુરુ હવે 31 ઓક્ટોબર 2026 સુધી કર્ક રાશિમાં જ બિરાજમાન રહેશે અને ત્યારબાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ ગોચરની દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર મોટી અસર જોવા મળશે, પરંતુ ખાસ કરીને 4 રાશિઓ માટે આ સમયગાળો કોઈ વરદાનથી કમ નહીં હોય. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેમને શું ફાયદો થશે.

મેષ:

ગુરુ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ સુખ, માતા અને વાહનનો કારક છે. ઉચ્ચના ગુરુની અસરથી તમારા કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો થશે. આ સમય દરમિયાન તમે નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. સાથે જ કરિયરમાં પણ સારી એવી પ્રગતિ જોવા મળશે.

કર્ક:

ગુરુએ તમારી જ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં ગોચર કર્યું છે. આનાથી શાનદાર "હંસ પંચમહાપુરુષ રાજયોગ" બની રહ્યો છે. એટલે એમ સમજી લો કે કર્ક રાશિવાળા લોકો માટે આ એકદમ સુવર્ણ કાળ છે! તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરશો.

આ પણ વાંચોઃ ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

કન્યા:

તમારી રાશિથી અગિયારમા ભાવમાં ગુરુનું ગોચર થયું છે, જે લાભ અને આવકનું સ્થાન છે. આનાથી તમારી આવકના નવા રસ્તાઓ ખુલશે. જો તમે ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાં મોટો નફો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના પણ પૂરેપૂરા ચાન્સ છે.

મીન:

ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરી ચૂક્યો છે, જે સંતાન, શિક્ષણ અને પ્રેમનું સ્થાન છે. ગુરુના આ ગોચરથી મીન રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય શરૂ થયો છે. તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. એટલું જ નહીં, શેરબજાર, લોટરી કે પછી કોઈ પૈતૃક સંપત્તિમાંથી અચાનક મોટો આર્થિક લાભ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ

Frequently Asked Questions

કર્ક રાશિમાં ગુરુનું ગોચર ક્યારે થયું?

ગુરુ ગ્રહે 2 જૂનની વહેલી સવારે 2:25 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે.

ગુરુ કર્ક રાશિમાં ક્યાં સુધી રહેશે?

ગુરુ 31 ઓક્ટોબર 2026 સુધી કર્ક રાશિમાં બિરાજમાન રહેશે.

કઈ રાશિઓ માટે ગુરુનું ગોચર ફાયદાકારક રહેશે?

મેષ, કર્ક, કન્યા અને મીન રાશિઓ માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેશે.

મેષ રાશિના જાતકોને ગુરુના ગોચરથી શું લાભ થશે?

મેષ રાશિના જાતકોને કૌટુંબિક સુખમાં વધારો થશે, નવી ગાડી કે ઘર ખરીદી શકશે અને કરિયરમાં પ્રગતિ કરશે.

મીન રાશિના જાતકો માટે ગુરુનું ગોચર કેવું રહેશે?

મીન રાશિના વિદ્યાર્થીઓ માટે સારો સમય શરૂ થશે, પ્રેમ સંબંધો મજબૂત બનશે અને શેરબજાર કે પૈતૃક સંપત્તિમાંથી આર્થિક લાભ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Advertisement

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર
Embed widget