શોધખોળ કરો

Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ

Mahashivratri 2022:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

Mahashivratri 2022:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રી 2022 ના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. કહેવાય છે કે આ દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

એવી પણ માન્યતા છે કે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવપુરાણનો પાઠ કરવાથી લાભ થાય છે. પરંતુ શિવપુરાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

શિવપુરાણ પાઠમાં વર્તો સાવધાની

એક ધાર્મિક માન્યતા છે કે, શિવપુરાણના પાઠ અથવા શ્રવણ દ્વારા મન અને શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. સ્નાન વગેરે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવમાં સાચી શ્રદ્ધા રાખો. કોઈના પ્રત્યે નફરત ન રાખો. એવું માનવામાં આવે છે કે, પાઠ દરમિયાન કોઈની ટીકા કે નિંદા કરવાથી પાઠનો પૂરો લાભ મળતો નથી. આ સમય દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાઓ.

આ દરમિયાન તામસી ભોજનું સેવન ન કરો. પાપ કર્મથી બચો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે કોઇનું દીલ ન દુભવવું.

સંતાન પ્રાપ્તિની કામના થાય છે પૂર્ણ

શાસ્ત્રોમાં શિવપુરાણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. શિવ પુરાણમાં  શિવનો મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સાધકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. દામ્પત્ય જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે પણ શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે. તેનાથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Disclaimer:અહીં આપેલી જાણકારી માત્ર માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા માન્યતા કે જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget