શોધખોળ કરો

Vastu: ઘરના મંદિરમાં ઓમ, સ્વસ્તિક, શ્રી, કળશ રાખવાના છે અનેક ફાયદા

Vaastu Fengshui: જો તમને દેવું થઈ રહ્યું છે અથવા કામ ધંધો બરાબર ચાલી રહ્યો નથી. તો ઘરના પૂજા સ્થાન પર વાસ્તુ અનુસાર કેટલાક એવા શુભ સંકેતો છે.  જે કરવાથી જીવનની મોટાભાગની સમસ્યાઓમાંથી રાહત મળે છે.

Vaastu Tips: ઘરનું સૌથી પવિત્ર સ્થાન ઘરનું મંદિર છે. ઘરના મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે અને તેમની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું પૂજા સ્થળ હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ. ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ દિશાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુમાં ઘરમાં પૂજા સ્થાન પર ઓમ, સ્વસ્તિક, શ્રી વગેરે ધાર્મિક ચિહ્નો રાખવાના ઘણા ફાયદા છે. આ સંકેતોથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને જીવનમાં દરેક વસ્તુ શુભ રહે છે. આવો જાણીએ ઘરમાં પૂજા સ્થાન પર આ પ્રતીકો રાખવાથી શું ફાયદા થાય છે…

ઘરમાં ઓમ પ્રતીક બનાવવાના ફાયદા

ઘરના પૂજા સ્થાન પર કેસર અથવા ચંદનથી ઓમનું પ્રતિક બનાવો. એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર ઓમ બનાવીને તેનો જાપ કરવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તેના શુભ સંચારની સાથે પરિવારમાં ચાલી રહેલ તણાવ પણ દૂર થાય છે. કેસર અથવા ચંદનમાંથી બનાવેલ ઓમ સામાજિક અને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત લાવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

સ્વસ્તિક ચિન્હ ઘરે બનાવવાથી લાભ થાય છે

પૂજા સ્થળ અને ઘરના મુખ્ય દરવાજા બંને પર હળદરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને નીચે શુભ લાભ લખો. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.  જેના કારણે કરિયરમાં પ્રગતિની સંભાવનાઓ રહે છે.

ઘરમાં શ્રીની નિશાની લગાવાથી લાભ થાય છે

શ્રીનું પ્રતિક માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.  તેને ઘરના મંદિરમાં સિંદૂર અથવા કેસરથી બનાવો. આ નિશાની કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પણ રહે છે. વાસ્તુ અનુસાર શ્રીનું પ્રતિક બનાવવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી આવતી અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે છે. પૂજા સ્થાન પર શ્રીના પ્રતીકને કારણે માતા લક્ષ્મી પોતે ત્યાં નિવાસ કરે છે.

ઘરમાં મંગલ કળશનું પ્રતિક બનાવવાથી લાભ થાય છે

ઘરના પૂજા સ્થાન પર સિંદૂરથી મંગલ કળશની નિશાની કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ નિશાની ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે અને તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. વાસ્તુ અનુસાર મંગલ કળશને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ ધનનો પ્રવાહ પણ સ્થિર રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget