શોધખોળ કરો

Somvar Upay : ધન પ્રાપ્તિ માટે સોમવારે આ અચૂક સિદ્ધ ઉપાય અજમાવી જુઓ, ધનધાન્યના ભરાઇ જશે ભંડાર

Monday Remedies: સોમવારે ભગવાન શિવનો જલાભિષેક કરવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Monday Remedies:જો કોઈ વ્યક્તિના જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું અને તે દરરોજ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તેણે સોમવારે શિવ મંદિરમાં જઈને રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સુખ-શાંતિ મળે છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દહીં, દૂધ અથવા દૂધની બનાવટો જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે.

સોમવારે ભગવાન શિવની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આ મંત્રમાં ખૂબ જ શક્તિ છે અને તે વ્યક્તિના જીવનમાં આવનારી તમામ અવરોધોનો નાશ કરે છે. આ મંત્રનો જાપ કરવાથી ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભના નવા રસ્તા ખુલે છે.

આ સિવાય જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોવ તો તેમને પ્રસન્ન કરવા માટે સોમવારે વ્રત કરો અને વિધિ પ્રમાણે ભોલેનાથની પૂજા કરો. ભોલેનાથનો જલાભિષેક કરતી વખતે તેમને બેલપત્ર, ધતુરા, શણ, દૂધ, ગંગાજળ, ફૂલ અને ફળ અવશ્ય ચઢાવો. આ પછી શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ભોલેનાથનું ધ્યાન કરો.

સોમવાર મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે, સોમવારે વ્રત અને  ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય  જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે,  મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી  સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારના  દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા ભક્તો પર વરસે છે. આવો જાણીએ સોમવારે ક્યાં ઉપાય કરવાથી દાંપત્ય જીવનના સંકટો દૂર થાય છે.

સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ પછી, ધૂપ અને દીપથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો. આમ કરવાથી શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહે છે.

સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે.

સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા, આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Embed widget