શોધખોળ કરો

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર આ એક વસ્તુ લગાવો, શનિદેવ થશે પ્રસન્ન, બનશે ધન પ્રાપ્તિનો માર્ગ

Horse shoe Vastu: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા પર ઘોડાની નાળ લટકાવવાથી શનિ દોષ ર દૂર થઈ જાય છે. ઘોડાની નાળ મૂકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘોડાના નાળના  ફાયદા

  • ઘોડાની નાળ લોખંડની બનેલી હોય છે અને લોખંડને શનિની ધાતુ માનવામાં આવે છે. દરવાજા પર ઘોડાની નાળ મુકવાથી શનિનો પ્રકોપ સમાપ્ત થાય છે. જો તમે શનિ દોષથી પરેશાન છો તો દરવાજા પર ઘોડાની નાળ અવશ્ય લટકાવો.
  • જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવો. આમ કરવાથી તમને થોડા જ દિવસોમાં લાભ મળે છે અને પૈસા મળવાનો રસ્તો બનવા લાગે છે.
  • જે રાશિના લોકોને શનિની પનોતી ચાલે છે. તેને  તેમણે કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી જોઈએ. આમ કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને કામમાં કોઈ અડચણ આવતી નથી. શનિવારે આ વીંટી મધ્યમ આંગળીમાં પહેરો.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં હોય, તેમણે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લટકાવી જોઈએ.
  • ઘોડાની નાળને કાળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે. તેનાથી જીવનમાં પ્રગતિ થાય છે.
  • પરિવારમાં સકારાત્મક વાતાવરણ જાળવવા માટે, કાળા ઘોડાની નાળ  મુખ્ય દરવાજા પર U આકારમાં લટકાવો.
  • જો તમે કોઈ ગ્રહ અવરોધથી પરેશાન છો, તો કાળા ઘોડાની નાળથી બનેલું બ્રેસલેટ પહેરો, તેનાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

Vivah Panchami 2022: વિવાહના દિવસે કરો ઉપાય, ઇચ્છિત જીવનસાથીનું મળશે સુખ

Vivah Panchami 2022: જો સુખી દાંમપત્ય જીવનને કોઇની નજર લાગી ગઇ હોય અથવા તમે ઘણા પ્રયત્નો પછી પણ તમારા  ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નમાં વિઘ્ન આવતા હોય તો  તો વિવાહ પંચમીના દિવસે આ અચૂક અસરકારક ઉપાય અજમવી જુઓ
 હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ અને માતા જાનકીના લગ્ન માગશર માસની  પાંચમી તારીખે થયા હતા. આ જ કારણ છે કે તેમના ભક્તો દર વર્ષે વિવાહ પંચમીના શુભ તહેવાર પર શ્રી રામ સીતાની લગ્ન જયંતી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. વિવાહ પંચમીનો તહેવાર, જે ઇચ્છિત જીવન સાથી અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપે છે, આ વર્ષે 28 નવેમ્બર 2022 ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ વિવાહ પંચમી પર્વની પૂજા માટેનો શુભ સમય, પદ્ધતિઓ અને ઉપાયો.
વિવાહ પંચમીનો શુભ સમય ક્યારે છે?
વિવાહ પંચમી તહેવાર, જે ભગવાન શ્રી રામ અને માતા સીતાની લગ્ન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, તે આ વર્ષે 28 નવેમ્બર 2022, સોમવારના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાની શુક્લપક્ષની પંચમી તિથિ 27 નવેમ્બર 2022ના રોજ સાંજે 04:25 વાગ્યાથી શરૂ થઈને 28મી નવેમ્બર 2022ના બપોરે 01:35 વાગ્યા સુધી રહેશે.


લગ્ન પૂજાનું ધાર્મિક મહત્વ
હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, વિવાહ પંચમીના દિવસે માત્ર ભગવાન શ્રી રામ અને સીતાના જ લગ્ન થયા ન હતા, પરંતુ આ દિવસે ગોસ્વામી શ્રી તુલસીદાસે રામાયણના અવધિ સંસ્કરણને પૂર્ણ કર્યું હતું. એવી માન્યતા છે કે, વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રી રામ અને માતા જાનકીની પૂજા કરવાથી અને તુલસીદાસજી દ્વારા રચિત શ્રી રામચરિતમાનસની સિદ્ધ ચોપાઈનો જાપ કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.

લગ્ન પંચમી વ્રતની વાર્તા
હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, રામાયણ કાળમાં રાજા જનકે પોતાની પુત્રી દેવી સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. જેમાં તેણે પોતાની પુત્રી સીતાના લગ્ન માટે ત્યાં આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોની સામે ભગવાન શિવનું પિનાક ધનુષ્ય ઉપાડવાની શરત મૂકી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ગુરુ વિશ્વામિત્રના આદેશથી ધનુષ્ય ઉપાડ્યું જે સૌથી શક્તિશાળી રાજાઓ પણ ઉપાડી શક્યા ન હતા, ત્યારે તે બે ભાગમાં તૂટી ગયું હતું. ત્યારબાદ રાજા જનકે પોતાની પુત્રી સીતાના લગ્ન ભગવાન રામ સાથે ખૂબ ધામધૂમથી કર્યા.


વિવાહ પંચમીની પૂજાના ઉપાય
ભગવાન શ્રીરામ અને માતા સીતા પાસેથી ઇચ્છિત આશીર્વાદ મેળવવા માટે, વિવાહ પંચમી પર  નિયમો અનુસાર વ્રત કરો અને પૂજા કરો. વિવાહ પંચમી પર સ્નાન અને ધ્યાન કર્યા પછી, ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરો અને પછી તેમને પીળા રંગના કપડાં, ફૂલ અને ખોરાક વગેરે અર્પણ કરો. આ પછી ધૂપ-દીપ વગેરેથી તેમની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આ શુભ તિથિ પર શ્રી રામચરિતમાનસમાં લખેલા ભગવાન રામ અને સીતાના લગ્ન સંબંધિત સંદર્ભનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આજના દિવસે  અપરિણીત યુવતીઓના શીઘ્ર લગ્નનો યોગ રચાઇ છે. પરણિત દંપતી કરે તો તેમનું લગ્નજીવન સુખી થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget