શોધખોળ કરો

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ

Guru Purnima: અષાઢી બીજથી તહેવારોની વણઝાર શરૂ થઇ જાય છે ત્યારે ગુરૂ પ્રત્યેની શિષ્યની કૃતજ્ઞતાને વ્યક્ત કરતું પર્વ ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, જાણીએ તારીખ મૂહૂર્ત અને ધાર્મિક મહત્વ...

 Guru Purnima: હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. દર મહિનાની પૂર્ણિમા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ અષાઢ માસની પૂર્ણિમા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓની સાથે ગુરુઓની પૂજા કરવાનો પણ વિધિ-વિધાન છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે,  મહર્ષિ વેદવ્યાસે મહાભારત અને વેદોનું સંકલન અને રચના કરી હતી.

ગુરુ પૂર્ણિમા 2026 ક્યારે છે?

અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 વાગ્યે થશે.

પૂર્ણિમા તિથિનું સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 વાગ્યે થશે.

ઉદયતિથિના આધારે ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026, બુધવારે ઉજવવામાં આવશે.

આ દિવસને અષાઢ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમા પછી ભગવાન શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે.

  • ગુરુ પૂર્ણિમા 2026: સ્નાન-દાન માટેના શુભ મુહૂર્ત
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:17 થી 4:59 સુધી
  • લાભ-ઉન્નતિ મુહૂર્ત: સવારે 5:41 થી 7:22 સુધી
  • અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: સવારે 7:22 થી 9:04 સુધી
  • શુભ-ઉત્તમ મુહૂર્ત: સવારે 10:46 થી બપોરે 12:27 સુધી
  • ચર-સામાન્ય મુહૂર્ત: બપોરે 3:51 થી સાંજે 5:32 સુધી
  • લાભ-ઉન્નતિ મુહૂર્ત: સાંજે 5:32 થી 7:14 સુધી

આ પણ વાંચો: Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન


ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ગુરુના જ્ઞાનથી જ જીવનમાં સફળતાનો સાચો માર્ગ મળે છે. ગુરુ એટલે એવા મહાન પુરુષ, જે આધ્યાત્મિક જ્ઞાન અને શિક્ષણ દ્વારા પોતાના શિષ્યોને યોગ્ય માર્ગદર્શન આપે છે.         

તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગુરુની કૃપા હંમેશા જીવન પર બની રહે છે.

આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું સન્માન કરે છે, પૂજા-અર્ચના કરે છે અને ગુરુદક્ષિણા અર્પણ કરે છે.

જો તમારી જન્મકુંડળીમાં ગુરુ દોષ હોય, તો ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન-દાન કર્યા બાદ પોતાના ગુરુ અથવા વડીલોનું પૂજન કરીને તેમના આશીર્વાદ લેવા વિશેષ શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget