ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Guru Purnima: અષાઢી બીજથી તહેવારોની વણઝાર શરૂ થઇ જાય છે ત્યારે ગુરૂ પ્રત્યેની શિષ્યની કૃતજ્ઞતાને વ્યક્ત કરતું પર્વ ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, જાણીએ તારીખ મૂહૂર્ત અને ધાર્મિક મહત્વ...

Guru Purnima: હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. દર મહિનાની પૂર્ણિમા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ અષાઢ માસની પૂર્ણિમા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓની સાથે ગુરુઓની પૂજા કરવાનો પણ વિધિ-વિધાન છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, મહર્ષિ વેદવ્યાસે મહાભારત અને વેદોનું સંકલન અને રચના કરી હતી.
ગુરુ પૂર્ણિમા 2026 ક્યારે છે?
અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 વાગ્યે થશે.
પૂર્ણિમા તિથિનું સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 વાગ્યે થશે.
ઉદયતિથિના આધારે ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026, બુધવારે ઉજવવામાં આવશે.
આ દિવસને અષાઢ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમા પછી ભગવાન શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે.
- ગુરુ પૂર્ણિમા 2026: સ્નાન-દાન માટેના શુભ મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:17 થી 4:59 સુધી
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: સવારે 5:41 થી 7:22 સુધી
- અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: સવારે 7:22 થી 9:04 સુધી
- શુભ-ઉત્તમ મુહૂર્ત: સવારે 10:46 થી બપોરે 12:27 સુધી
- ચર-સામાન્ય મુહૂર્ત: બપોરે 3:51 થી સાંજે 5:32 સુધી
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: સાંજે 5:32 થી 7:14 સુધી
આ પણ વાંચો: Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥
ગુરુના જ્ઞાનથી જ જીવનમાં સફળતાનો સાચો માર્ગ મળે છે. ગુરુ એટલે એવા મહાન પુરુષ, જે આધ્યાત્મિક જ્ઞાન અને શિક્ષણ દ્વારા પોતાના શિષ્યોને યોગ્ય માર્ગદર્શન આપે છે.
તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગુરુની કૃપા હંમેશા જીવન પર બની રહે છે.
આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું સન્માન કરે છે, પૂજા-અર્ચના કરે છે અને ગુરુદક્ષિણા અર્પણ કરે છે.
જો તમારી જન્મકુંડળીમાં ગુરુ દોષ હોય, તો ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન-દાન કર્યા બાદ પોતાના ગુરુ અથવા વડીલોનું પૂજન કરીને તેમના આશીર્વાદ લેવા વિશેષ શુભ માનવામાં આવે છે.
ટોપ સ્ટોરી



















