શોધખોળ કરો

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?

Raksha Bandhan 2026 : હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9 વાગ્યાને 9 મિનિટે થશે અને તેનો સમાપન 28 ઓગસ્ટે સવારે 9 વાગ્યાને 49 મિનિટે થશે. ઉદય તિથિના આધારે રાખડી 28 ઓગસ્ટે જ બાંધવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રક્ષાબંધન 2026ની તારીખ અને મુહૂર્તને લઈને મૂંઝવણ. (8 words)
  • વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવાશે; શુભ મુહૂર્ત. (8 words)
  • 28 ઓગસ્ટે ભદ્રાનો પ્રભાવ નહીં હોવાથી રાખડી શુભ. (8 words)

Raksha Bandhan 2026 :  દર વર્ષે જેમ રક્ષાબંધનની તારીખને લઈને ગૂંચવણ સર્જાય છે, તેમ આ વર્ષે પણ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આવો જાણીએ કે વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું રહેશે અને આ વખતે ભદ્રાનો પ્રભાવ રહેશે કે નહીં.

રક્ષાબંધન હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી તેની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે, રાખડી બાંધવાનો શુભ સમય કયો રહેશે અને ભદ્રાનો પડછાયો  રહેશે કે નહીં.

રક્ષાબંધન 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9 વાગ્યાને 9 મિનિટે થશે અને તેનો સમાપન 28 ઓગસ્ટે સવારે 9 વાગ્યાને 49 મિનિટે થશે. ઉદય તિથિના આધારે રાખડી 28 ઓગસ્ટે જ બાંધવામાં આવશે.

આ પણ વાંચો: Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત

રક્ષાબંધનના દિવસે શુભ સમયે રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:57 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

શું આ વખતે રક્ષાબંધન પર ભદ્રા રહેશે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી. સારા સમાચાર એ છે કે, 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં. શ્રાવણ પૂર્ણિમાની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને તે દિવસે સવારે 9:08 વાગ્યાથી રાત્રે 9:32 વાગ્યા સુધી ભદ્રા રહેશે. તેથી 28 ઓગસ્ટે કોઈપણ ચિંતા વગર શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકાશે.

રાખડીની પરંપરા કેવી રીતે શરૂ થઈ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર રાખડીની પરંપરાનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. કથા મુજબ, એક વખત ભગવાન શ્રીકૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી ઘાયલ થઈ હતી. તે સમયે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો એક ટુકડો ફાડી તેમની આંગળી પર બાંધી દીધો હતો. દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણે જીવનભર તેમની રક્ષા કરવાનો વચન આપ્યો હતો. બાદમાં ચીરહરણ દરમિયાન દ્રૌપદીની લાજ બચાવીને તેમણે પોતાનું વચન નિભાવ્યું હતું. આ ઘટનાને ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને ત્યારથી રક્ષાબંધનનો તહેવાર શ્રદ્ધા, પ્રેમ અને લાગણી સાથે ઉજવવામાં આવે છે.

 

Frequently Asked Questions

રક્ષાબંધન 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ મુજબ, વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 28 ઓગસ્ટે સવારે 9:49 વાગ્યે સમાપ્ત થશે.

2026માં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે?

વર્ષ 2026માં રાખડી બાંધવા માટેનો શુભ સમય સવારે 5:57 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધીનો રહેશે. આ સમયે રાખડી બાંધવી ખૂબ જ શુભ મનાય છે.

રક્ષાબંધન 2026 પર ભદ્રાનો પ્રભાવ રહેશે કે નહીં?

28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં. 27 ઓગસ્ટે ભદ્રા રહેશે, પરંતુ 28 ઓગસ્ટે તમે ચિંતા વગર રાખડી બાંધી શકશો.

રાખડી બાંધવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?

મહાભારત કાળમાં દ્રૌપદીએ ઘાયલ શ્રીકૃષ્ણની આંગળી પર પોતાની સાડીનો ટુકડો બાંધ્યો હતો. તેના બદલામાં શ્રીકૃષ્ણે જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Embed widget