શોધખોળ કરો
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે જાણીએ તારીખ સાથે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિ ક્યારે?
Chaitra Navratri 2026: દર વર્ષે, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાની એકમ તિથિ (શુભ પખવાડિયા) ના રોજ શરૂ થાય છે. આ વખતે ફક્ત ઋતુ પરિવર્તન જ નહીં, પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી 19 માર્ચે સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે. તેથી ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચે પૂર્ણ થશે
કળશ સ્થાપન મુહૂર્ત
કળશ સ્થાપન માટેનો પહેલો શુભ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો રહેશે. બીજો શુભ સમય, અભિજીત મુહૂર્ત, બપોરે 12:૦5 થી 12:53 સુધીનો રહેશે.
કળશ સ્થાપન વિધિ
ઉત્તર-પૂર્વ દિશા સાફ કરો અને ત્યાં લાકડાનો બાજોટ મૂકો.
એક દીપક પ્રગટાવો
ગણેશજીનું વિધિવક ષોડસોપચારે પૂજન કરો
એક માટીના વાસણમાં સ્વચ્છ માટી ભરો અને જવેરા વાવો.
તાંબાના કળશમાં જળ ભરીને તેનું પૂજન કરો
કળશમાં એક સિક્કો સોપારી પથરાવો
કળશને ફરતે નાડાછડી વિટાંળો
કળશ પર મૂકવાના શ્રીફળની પૂજા કરો
તેના પર પણ નાડાછડી બાંધો
હવે પાંચ આસોપાલવના પાન કળશ પર મૂકો
તેના પર હવે શ્રીફળ મૂકો અને તેને બાજોટ પર સ્થાપિત કરો
મા અંબાની વિધિવત પૂજા કરો
આરતી અને થાળ ધરાવો
માતાજીના કોઇપણ મંત્રોના જાપ કરો
નવરાત્રિમાં મંત્રજાપ અચૂક કરવા જોઇએ
જો આ દિવસોમાં આપ મંત્રજાપનું અનુષ્ટાન કરો તો તે ખૂબ અસરકાર માનવામાં આવે છે. પરંતુ જો આપ અનુષ્ટાન ન કરી શકો તો એક અથવા 2 માળાનો નિયમ પણ લઇ શકો છો. કારણ કે આ નવરાત્રિના સમયમાં મંત્રજાપ અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, આ નવરાત્રિના પર્વમાં કરેલી સાધના સાધકને શીઘ્ર ફળ આપે છે. તો આપ અવસરનો લાભ લેવા માતાજીના મંત્રોના જાપ કરી શકો છો. આપ ચામુંડાના મંત્રોજાપ પણ કરી શકો છો.
ચામુંડા માતાજીનો મંત્ર
"ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे"।
ચૈત્ર નવરાત્રિનું મહત્વ
આ વર્ષે ચૈત્ર નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે નવરાત્રી ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે, ત્યારે દેવી પાલખી પર આવે છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો દર્શાવે છે. નવ દિવસના આ ઉત્સવ દરમિયાન, માતા દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
વધુ વાંચો
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
એસ્ટ્રો
એસ્ટ્રો
ધર્મ-જ્યોતિષ
Advertisement




















