શોધખોળ કરો

દુનિયાની પહેલી CNG બાઇકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, બે મહિનામાં Bajaj 125નું જોરદાર વેચાણ!

World First CNG Bike: બજાજની ફ્રીડમ 125 એ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. આ બાઇકનું બે મહિનામાં સારું વેચાણ થયું છે. સસ્તી કિંમત, ઉત્તમ માઇલેજ અને અદ્યતન સુવિધાઓ સાથે, આ બાઇક બજેટ-ફ્રેંડલી પણ છે.

Bajaj Freedom 125 Sells 5000 Units : વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125એ ઓછા સમયમાં જ મોટી સફળતા મેળવી છે. કંપનીએ માહિતી આપી છે કે બે મહિનામાં આ બાઇકના 5000 યુનિટ વેચાયા છે.                            

કંપની માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. આના પરથી જોઈ શકાય છે કે પેટ્રોલ બાઈક હોવા છતાં લોકો CNG બાઈકને પસંદ કરી રહ્યા છે. કંપનીએ આ બાઈકને લોન્ચ કરતાં પહેલા આના ઘણા ટેસ્ટ કર્યા હતા અને તેને લોકો સમક્ષ રજૂ પણ કર્યા હતા. જેથી લોકોનો આ બાઇક પર વિશ્વાસ વધે. બજાજે આ બાઇક ખાસ મધ્યમ વર્ગના લોકો માટે બનાવી છે. વધતી જતી ઈંધણની કિંમતોને ધ્યાનમાં રાખીને આ બાઇકને ડિઝાઇન કરવામાં આવી હતી. હવે તેને લોન્ચ થયે લગભગ 2 મહિના ઉપર થઈ ગયા છે અને બજાજે આના વેચાણમાં જબરદસ્ત ઉપલબ્ધિ હાંસિલ કરી છે.    


દુનિયાની પહેલી CNG બાઇકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, બે મહિનામાં Bajaj 125નું જોરદાર વેચાણ!
બાઇકની વિશેષતાઓ
બજાજ ફ્રીડમ 125માં પાવરફુલ 125cc એન્જિન છે, જે વધુ સારી પાવરની સાથે જબરદસ્ત માઈલેજ પણ આપે છે. તેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે અને તેને યુવાનો તેમજ પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે, એલઇડી લાઇટ અને આરામદાયક બેઠકની સુવિધાઓ છે, જે તેને લાંબા અંતર માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

કિંમત અને માઇલેજ                       
તેની શરૂઆતની કિંમત 70,000 રૂપિયાની આસપાસ છે, જે તેને બજેટ બાઇકમાંથી એક બનાવે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 60-65 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે, જે ઈંધણના વપરાશના સંદર્ભમાં તેને આર્થિક બનાવે છે. બજાજ ફ્રીડમ 125 ની સફળતાના મુખ્ય કારણો તેની પરવડે તેવી કિંમત, ઉત્તમ માઈલેજ અને શાનદાર ફીચર્સ છે.            

આ સિવાય બજાજની વિશ્વસનીય ટેક્નોલોજી અને સર્વિસ નેટવર્ક પણ ગ્રાહકોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બજાજ ફ્રીડમ 125 એ થોડા જ સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. બે મહિનામાં 5000 યુનિટનું વેચાણ એ વાતનો સંકેત છે કે આ બાઇક ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
Embed widget