શોધખોળ કરો

વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ

આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે.

સુરત, 04 ઓક્ટોબર: આજે ૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ વધે, સર્જનાત્મકતા સભર વર્કશોપ અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પર ભાર આપવામાં આવે છે.લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવ વધે, જ્ઞાનની આપ લે કરે, ખુશીઓની વહેંચણી કરે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે.

Plant a Smile - રેલી ૩ ઓક્ટોબરે અનાથઆશ્રમ વાત્સલ્યધામ થી મશાલ સાથે શરૂ થઈ 11 ઓક્ટોબર સુધીમાં વિવિધ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે. ત્યાંથી વધુ દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો અંતરિયાળ વિસ્તાર સુધીમાં Plant a Smileનો સંદેશો પહોંચાડશે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્યધામના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે. ત્યાંથી પહેલાની સંસ્થાના બાળકો પાછા ફરશે અને નવી સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે મળી તેની આગળની સંસ્થા સુધી મશાલ રેલી મારફતે આગળ વધશે. આ રીતે ૧૦ દિવસ દરમિયાન ૧૦૦ જેટલી શાળાઓ પર Plant a Smile મશાલ રેલી પર્યાવરણના જતનનો સંદેશો ફેલાવશે.

આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે. વાત્સલ્યધામના બાળકો સમાજની મુખ્ય ધારાના બાળકોને મળશે અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરશે જેથી સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈનું અંતર ઘટશે, આ રેલી દરમિયાન વિવિધ શાળાઓના ૫૦૦ કરતાં વધારે બાળકો રેલીનો હિસ્સો બનશે. સમાજમાં ખુશીઓ એકબીજા સાથે વહેંચવા તથા ખુશીઓમાં વધારો કરવા આ રેલી મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. સુનીતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુ.કિંજલ ચુનીભાઇ ગજેરાના વિઝન મુજબ આ વિશ્વને જીવવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવું હશે તો દરેક વ્યક્તિએ પોતાની ખુશી બીજાને વહેંચી અને ખુશીઓની એક લહેર ઊભી કરવી પડશે. તેમના મત અનુસાર આજે આ રેલી દ્વારા ખુશીઓનું બીજ કે નાનો છોડ વાવ્યો છે તે સમય જતા વટવૃક્ષ બનશે અને સમાજમાં ખુશી અને આનંદ સાથે મજબૂત રીતે આગળ વધશે. "ONE HAPPINESS"  એ જ વિશ્વને નક્કર રીતે આગળ  વધવાનો માર્ગ છે અને તે માટે "Plant a Smile" રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
Embed widget