શોધખોળ કરો

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા; ઊંઝા, સિદ્ધપુર અને ચાણસ્મા હાઇવે તેમજ 1st રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા, પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાટણમાં દોઢ કલાકથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
  • હાઈવે પર ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.
  • રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર સુરક્ષા માટે બંધ કરાયો.
  • પાણી નિકાલની અયોગ્ય વ્યવસ્થાથી સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ.

Patan Rain Update: પાટણ જિલ્લામાં જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પાટણથી ઊંઝા અને સિદ્ધપુર તરફ જતા હાઇવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, નવજીવન ચોકડીથી પાટણ-ચાણસ્મા હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

શહેરમાં વરસાદની સૌથી મોટી અસર પાટણ શહેરના 1st રેલવે ગરનાળા પર જોવા મળી રહી છે. સામાન્ય કે વધુ વરસાદ પડે એટલે આ ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આજે પણ ધોધમાર વરસાદના કારણે ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોની સુરક્ષા માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. વારંવાર રસ્તો બંધ થઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ગરનાળાનો રસ્તો બંધ થવાથી APMC અને એસપી (SP) કચેરી સહિતના વિસ્તારો તરફ જવાનો મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ ગયો છે. આટલું જ નહીં, પાટણ શહેરમાંથી હાઇવે તરફ જવાનો રસ્તો પણ ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી

સ્થાનિક લોકો માટે આ કોઈ નવી વાત નથી, દર ચોમાસામાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગરનાળાનો માર્ગ પાણી ભરાવાને કારણે બંધ થઈ જ જાય છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા અહીંથી પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય જનતાએ હેરાન થવું પડે છે. હાલમાં જ્યારે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને રસ્તો બંધ છે, ત્યારે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા ગરનાળાની બંને બાજુએ તાત્કાલિક બેરીકેટ મૂકીને માર્ગને વિધિવત રીતે સુરક્ષિત કરીને બંધ કરવો જોઈએ તેવી લોકોની માંગ છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

Frequently Asked Questions

પાટણ જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે?

પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

પાટણમાં વરસાદથી સૌથી વધુ કયો વિસ્તાર પ્રભાવિત થયો છે?

પાટણ શહેરનું 1st રેલવે ગરનાળું સૌથી વધુ પ્રભાવિત થયું છે. તેમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે.

રેલવે ગરનાળું બંધ થવાથી કઈ સમસ્યાઓ સર્જાઈ છે?

ગરનાળું બંધ થવાથી APMC, SP કચેરી અને હાઇવે તરફ જતા મુખ્ય માર્ગો અવરોધાયા છે. તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા નવી છે કે વારંવાર થાય છે?

આ સમસ્યા નવી નથી, દર ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાય છે. સ્થાનિકો નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરે છે.

Advertisement

ટોપ સ્ટોરી

મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
નવસારી ‘નમો કમલમ’ના ઉદ્ધાટનમાં PM મોદીએ સી.આર પાટીલને ભાઈ કહી કરી આ મોટી વાત   
નવસારી ‘નમો કમલમ’ના ઉદ્ધાટનમાં PM મોદીએ સી.આર પાટીલને ભાઈ કહી કરી આ મોટી વાત   
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
Embed widget