શોધખોળ કરો

PM Modi on Budget: 'ભારતને સમૃદ્ધ કરનારુ બજેટ', PM મોદી બોલ્યા- યુવાઓ-મધ્યમ વર્ગને મળશે નવી તાકાત 

વડાપ્રધાન મોદીએ બજેટમાં કરેલી જોગવાઈઓ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે અને આ બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Union budget 2024:   કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન મોદીએ બજેટમાં કરેલી જોગવાઈઓ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે અને આ બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 'આ એક એવું બજેટ છે જે તાકાત આપે છે. આ એક એવું બજેટ છે જે ખેડૂતો અને યુવાનોને પ્રગતિના પંથે લઈ જશે. 

વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું, કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમની આર્થિક પ્રગતિમાં સાતત્યતા માટે આ બજેટ છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત તકો આપશે. આ બજેટ મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. તે આદિવાસી સમાજ, દલિતો અને પછાત લોકોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે આવ્યું છે. આ બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ બજેટથી વેપારીઓ અને નાના ઉદ્યોગોને પ્રગતિનો નવો માર્ગ મળશે. બજેટમાં ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી આર્થિક વિકાસને વેગ મળશે અને ગતિ પણ જળવાઈ રહેશે. રોજગાર અને સ્વરોજગાર બનાવવો એ અમારી સરકારની ઓળખ રહી છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે, 'આ બજેટમાં સરકારે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, અમારી સરકાર તેમના જીવનની પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે. સ્કીલ ડેવલપમેન્ટ અને હાયર એજ્યુકેશન માટે મદદ હોય કે એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ સ્કીમ, તેનાથી યુવાનો, ગરીબોના , મારા દિકરા-દિકરીઓ દેશની ટોચની કંપનીઓમાં કામ કરશે. તેમના માટે સંભાવનાઓના નવા દરવાજા ખુલશે. 

પ્રધાનમંત્રીના કહેવા અનુસાર,  'આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકો બનાવવાના છે. અમે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી છે. તેનાથી પછાત લોકો, દલિતો અને આદિવાસીઓને ફાયદો થશે. આપણે સાથે મળીને દેશને ઔદ્યોગિક હબ બનાવીશું. દેશનું MSME સેક્ટર દેશનું કેન્દ્ર બની ગયું છે. નાના ઉદ્યોગોની મહાન શક્તિ એ આપણું મહત્વપૂર્ણ પગલું છે. આ બજેટમાં તેમના માટે ધિરાણની સરળતા વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget