શું જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવશે ? નાણા મંત્રીએ આપ્યો આ જવાબ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ઘણી મહત્વપૂર્ણ અને મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ઘણી મહત્વપૂર્ણ અને મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. પરંતુ, જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં હવે એક મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું સરકાર જૂની ટેક્સ વ્યવસ્થાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે?
75 ટકા કરદાતાઓ નવી ટેક્સ સિસ્ટમમાં આવ્યા છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જૂની ટેક્સ વ્યવસ્થાને લઈને ઉદ્ભવતા મોટા પ્રશ્ન પર સરકારનું વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું, "દેશભરના 75 ટકા કરદાતાઓ જૂની ટેક્સ સિસ્ટમ છોડીને નવી ટેક્સ સિસ્ટમમાં આવી ગયા છે. અમે આશા રાખીએ છીએ કે ધીમે ધીમે તમામ કરદાતાઓ જૂની ટેક્સ સિસ્ટમ છોડીને નવી ટેક્સ સિસ્ટમમાં આવશે, નિર્મલા સીતારમણે જૂની ટેક્સ સિસ્ટમને નાબૂદ કરવાની વાત કરી નથી. પરંતુ તેમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર હાલમાં જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાનું વિચારી રહી નથી.
નવા આવકવેરા બિલમાં શું હશે ?
'નવું આવકવેરા બિલ' બજેટ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ એક 'નવો કાયદો' હશે અને ન કે 'હાલના કાયદામાં સુધારો. નવો આવકવેરા કાયદો લાવવાનો હેતુ વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961ને સરળ, સ્પષ્ટ અને સમજી શકાય તેવો બનાવવાનો છે. કાયદા મંત્રાલય દ્વારા આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવશે.
વર્તમાન કાયદાની સમીક્ષા કરવા માટે આવકવેરા વિભાગને 6,500 સૂચનો મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નવા આવકવેરા બિલ'માં હાલના કાયદાની જોગવાઈઓ અને પ્રકરણોને ઘણી હદ સુધી ઘટાડવામાં આવશે. ઉપરાંત, જે જોગવાઈઓ પ્રચલિત નથી તે દૂર કરવામાં આવશે.
ફાયદા-
હાલમાં, આવકવેરા અધિનિયમ, 1961માં લગભગ 23 ચેપ્ટર અને 298 કલમો છે. નવા આવકવેરા બિલના અમલીકરણ સાથે-
- વિવાદ અને મુકદ્દમા ઓછા રહેશે.
- કાયદો સરળ ભાષામાં લખવામાં આવશે, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી સમજી શકે.
- બિનજરૂરી અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરવામાં આવશે.
કરદાતાઓને ટેક્સની નિશ્ચિતતા મળશે.
- ટેક્સ વિવાદો ઓછા થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75000 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
