શોધખોળ કરો
હોમબિઝનેસજૂનમાં આવશે રેલવેની મેગા એપ, પ્રવાસીઓને ટ્રેન સાથે જોડાયેલ જાણકારી ઉપરાંત મળશે અનેક સુવિધાઓ
જૂનમાં આવશે રેલવેની મેગા એપ, પ્રવાસીઓને ટ્રેન સાથે જોડાયેલ જાણકારી ઉપરાંત મળશે અનેક સુવિધાઓ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 24 Apr 2017 07:31 AM (IST)
1/6

નવી દિલ્હીઃ પ્રવાસીઓની સુવિધા માટે રેલવે જૂનમાં એક મેગા એપ લોન્ચ કરવાની છે. આ એપ દ્વારા પ્રાવસી તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે. તેનાથી ટ્રેનના સ્ટેટસની જાણકારી મેળવવા ઉપરાંત ટૂર પેકેજ અને ટેક્સી બુકિંગની સુવિધા પણ મળશે.
2/6

આ એપ મારફતે રેલ યાત્રા સાથે સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ પણ મળી શકશે. આ એપ રેલવેના તમામ હાલની એપ્સ ઉપર ઉપલબ્ધ રહેશે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા આ એપનું નામ હિંદ રેલ રાખવામાં આવી શકે છે. તે સંપૂર્ણપણે પુછપરછની વ્યવસ્થા રહેશે જ્યાંથી એક સાથે ટ્રેનોના આવવાના સમય, રવાનગીના સમય, ટ્રેનો રદ થવા અંગેની વિગત, ટ્રેન લેટ થવા અંગેની વિગત, પ્લેટફોર્મ નંબર, ટ્રેન ઉપડવાની માહિતી, સીટની ઉપલબ્ધતાના સંદર્ભમાં માહિતી મેળવી શકાશે.
3/6

આ ઉપરાંત આ એપથી ટેક્સી, પોર્ટલ સર્વિસ, રિટાયરિંગ રૂમ, હોટેલ, ટુર પેકેજ, ઇ-કેટરીંગ સેવા પણ બુક કરી શકાય છે. રેલવેએ તમામ સર્વિસ, સેવા ઉપલબ્ધ કરાવનારી સાથે સાથે રેવન્યુ રિંગ મોડલના આધાર ઉપર ઉપલબ્ધ કરાવશે. આ રીતે આ એપથી રેલવેને આવક પણ થશે. આ એપ મારફતે દર વર્ષે આશરે ૧૦૦ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે.
4/6

રેલવે ઉપર ટ્રેનોની અવરજવરની યોગ્ય માહિતી હોતી નથી તેવા આક્ષેપો વારંવાર થતાં રહે છે. ખાસ કરીને જ્યારે ટ્રેન લેટ હોય છે ત્યારે ત્યારે કોઇ માહિતી હોતી નથી. રેલવે બોર્ડના સભ્ય (ટ્રાફિક) મોહમ્મદ જમશેદે કહ્યું છે કે, ટ્રેનોના વિલંબના સંદર્ભમાં યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી નડી રહી છે પરંતુ તેણમે કહ્યું હતું કે, આ નવા એપથી તકલીફો દૂર થઇ જશે. નવી એપ જૂનમાં લોંચ કરવામાં આવી શકે છે. અહીં માત્ર સૂચના જ ઉપલબ્ધ થશે નહીં બલ્કે અહીંથી ટ્રેનેને ટ્રેક પણ કરી શકાય છે.
5/6

અત્રે નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા અનેક પ્રકારની સેવાઓ માટે અલગ અલગ એપ બનાવવામાં આવી છે જેમાં સીએમએસ એપ, રાષ્ટ્રીય પુછપરછ સેવાનો સમાવેશ થાય છે. ટિકિટ બુક કરાવવા માટે પણ અલગ એપ્સ રાખવામાં આવ્યા છે. ઇ-કેટરિંગ સર્વિસને આઈઆરસીટીસી મારફતે ચલાવવામાં આવે છે.
6/6

યાત્રીઓની ટ્રેન યાત્રા વધુ સરળ અને સુવિધાજનક બને તે હેતુસર રેલવે દ્વારા સતત પગલા લેવાઈ રહ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુ વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવેલી જુદા જુદા એપ ઉપયોગી સાબિત થઇ શકે છે. ભારતીય રેલ યાત્રીઓની તકલીફને દૂર કરવા માટે નવા એપ્સની શરૃઆત કરી દેવામાં આવ્યા બાદ જૂન મહિના પછી યાત્રીઓને વધુ રાહત મળશે.
Published at : 24 Apr 2017 07:31 AM (IST)
Tags :
Indian RailwaySponsored Links by Taboola
ટોપ સ્ટોરી
બિઝનેસ
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
બિઝનેસ
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
બિઝનેસ
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
બિઝનેસ
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
ટ્રેન્ડિંગ સમાચાર






















