શોધખોળ કરો
EPFO પછી હવે PPF અને NSCના વ્યાજ દરમાં પણ થશે ઘટાડો, જાણો કેટલું વ્યાજ મળશે
1/4

સરકાર આ ફોર્મ્યુલાને અનુસરે તો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં PPFનો વ્યાજદર લગભગ ૭ ટકા થઈ શકે. જોકે, વિશ્લેષકોના મત અનુસાર ડિમોનેટાઇઝેશન પછીની સ્થિતિને કારણે સરકાર નાની બચતના દરમાં કદાચ આટલો મોટો ઘટાડો ન પણ કરે. ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ એક્સ્પર્ટનું કહેવું છે કે, સરકારે ઘણા સમયથી ગોપીનાથ ફોર્મ્યુલાનો અમલ બંધ કર્યો છે. એટલે PPFના દરમાં ૦.૨૦-૦.૨૫ ટકાનો ઘટાડો થઈ શકે. PPFના દરમાં ઘટાડો થશે તો પણ તે બેન્ક ડિપોઝિટ અને કોર્પોરેટ FD કરતાં વધુ વળતર આપશે.
2/4

ગોપીનાથ પેનલની ફોર્મ્યુલામાં નાની બચતના વ્યાજદરને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જોડવામાં આવ્યા છે. ફોર્મ્યુલામાં PPFનો વ્યાજદર સરકારના ૧૦ વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ કરતાં થોડો વધુ રાખવાની ભલામણ કરાઈ છે. તેના આધારે ગણતરી કરીએ તો, છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ ઘટીને ૬.૫ ટકા થઈ છે અને સૂચિત ગાળામાં ૭ ટકાની નીચે રહી છે.
Published at : 23 Dec 2016 08:11 AM (IST)
View More






















