શોધખોળ કરો
દેવાળું ફૂંકવાની કગાર પર અંબાણીની કંપની નોંધાવશે નાદારી
1/4

નવી દિલ્હીઃ દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણીનો કોમ્યૂનિકેશન બિઝનેસ નાદાર થવાને આરે પહોંચી ગયો છે. ભારતમાં એક સમયે મોબાઈલ સેવા આપતી કંપનીઓમાં ટોપ પર રહેલ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડે નાદારી માટે અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ કોમ્યૂનિકેશન લિમિટેડ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચમાં નાદારાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે.
2/4

દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની આરોકોમે કહ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડાયરેકટર્સે NCLTના માધ્યમથી ઋણ સમાધાન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે તેના આધાર પર બોર્ડ ઓફ ડાયરેકટર્સે નક્કી કર્યું કે કંપની એનસીએલટી મુંબઇ દ્વારા ઝડપથી સમાધાનનો વિકલ્પ પસંદ કરશે. કંપનીએ કહ્યું કે અનેક જટલિતાઓના લીધે કંપની NCLTની પાસે ગઇ છે. અહીં તમામના દેવાને પારદર્શી અને સમયબધ્ધ પ્રક્રિયામાં એટલે કે 270 દિવસની અંદર ઉકેલ આવી શકશે.
Published at : 02 Feb 2019 09:56 AM (IST)
View More





















