Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ, ભરુચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે, જો કે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા છેદક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ, ભરુચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે, જો કે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા છે
ચૈતર વસાવા પર 75 લાખના તોડનો આરોપ લગાવ્યા બાદ આજે સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર સાથેની મુલાકાત બાદ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સાંસદ મનસુખ વસાવેએ દાવો કર્યો કે, ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું ક્લેક્ટર સ્વીકાર્યું છે. જાણીએ શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા, ચૈતર વસાવા સમક્ષ કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી. તો આજે મનસુખ વાસવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કર્યો છે કે, કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે. જો કે સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત બાદ કલેક્ટરે મૌન સેવ્યું હતું અને કલેક્ટર મીડિયાના સવાલોથી ભાગ્યા હતા.




















