કુમારે કહ્યું કે એસીના ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે એસી માટે સ્ટોરેજની ક્ષમતા વધુ જોઇએ. સાથે જ શો રૂમની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી લોકો જોઇને એસી ખરીદી શકે. તેમણે કહ્યું કે એનર્જી એફિસિએન્ટ પંખાની માંગ વધી છે. સાત લાખ પંખા અને 13 લાખ ટ્યૂબલાઇટ વેચાઇ ચૂકી છે.
2/4
નવી દિલ્હીઃ વીજળી બચાવવા માટે એલઈડી બલ્બ બાદ હવે કેન્દ્ર સરકાર એનર્જી એફિશિઅન્ટ AC વેચશે. એટલું જ નહીં તમે ACને સરળ હપ્તે પણ ખરીદી શકશો. વીજળી કંપનીઓની સાથે મળી એનર્જી એફિશિઅન્સી સર્વિસીસ લિમિટેડ (ઈઈએસએલ)એ અંદાજે એક લાખ AC ખરીદ્યા છે. જોકે, આ ખરીદીદારી સરકારી ભવન, એટીએમ વગેરે માટે કરવામાં આવી છે. કહેવાય છે કે, તેને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવશે.
3/4
આ એસી 40 ટકા વીજળી બચાવે છે. હાલ તેની કિંમત 50 હજારથી 60 હજાર રૂપિયાની વચ્ચે છે. એલઇડી બલ્બ સ્કીમ પર બજારમાં માગ વધે તે માટે અમે 1 લાખ એસી ખરીદ્યા. પરંતુ હજુ આ કિંમત પર પબ્લિક તેને નહીં ખરીદે. હાલ તે સરકારી બિલ્ડિંગ, રેલવે સ્ટેશન, એટીએમમાં લાગી રહ્યા છે.ત્યાર બાદ ટેન્ડરથી રેટ ઘટાડવાની આશા છે.
4/4
એનર્જી એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડ (ઇઇએસએલ)ના એમડી સૌરભ કુમારે એક વેબસાઇટને જણાવ્યું કે, એનર્જી એફિશિએન્ટ એસીનું બજાર ઘણું જ ઓછું છે. જે ફાઇવ સ્ટાર એસી છે, તેનું રેટિંગ 3.7 છે. જ્યારે અમે 5.3નું રેટિંગનું ચલણ વધારવા માંગીએ છીએ.