જાણકારોના કહેવા પ્રમાણે, એશિયાના અન્ય બજારોની સરખામણીએ ભારતના શેરબજારો ઓવર-વેલ્યુડ્ છે. જેથી એક કરેકશન શક્ય છે. જો ફેડરલ રિઝર્વનો આઘાત ભારતીય શેરબજારો પચાવી જાય તો પણ અન્ય ત્રણ પરિબળો અસર કરી શકે છે.
2/4
ફેડરલ બેન્કે વ્યાજના દરોમાં વધારો કરતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચે તેવી શક્યતા છે. જેના પગલે ગુરૂવારે શેરબજારમાં કડાકો જોવા મળે તેવી શક્યતા છે.
3/4
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008ની વૈશ્વિક મંદી બાદ માત્ર ત્રણ વખત ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જેમાંથી બે વખતની વૃદ્ધિ છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવી છે.
4/4
વોશિંગ્ટનઃ બુધવારે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો વધારો છે. રોજગારીના વધતા દર, અર્થતંત્રમાં મજબૂતી, નિર્ધારિત ટાર્ગેટ તરફ આગળ વધી રહેલા ફૂગાવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસની બેઠક બાદ ફેડરલ બેન્કની પોલિસી કમિટીએ આ નિર્ણય લીધો હતો. બેન્કના વડા જેનેટ યેલીને માર્ચ મહિનાની શરૂઆતમાં જ અણસાર આપી દીધા હતા કે, વ્યાજદરમાં વધારો થશે.