શોધખોળ કરો
હવે McD's અને KFCને ટક્કર આપવા રેસ્ટોરાં ખોલશે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ
1/6

નવી દિલ્હીઃ વિતેલા ઘણાં વર્ષથી પોતાની પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉત્પાદનો દ્વારા યૂનીલિવર જેવી કંપનીઓને ટક્કર આપતી યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ હવે ભારતમાં રેસ્ટોરાં બિઝનેસમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. જેની સ્પર્ધા મેકડોનલ્ડ્સ કોર્પ, કેન્ટકી ફ્રાઈડ ચિકન કોર્પ (કેએફસી) તથા સબવે રેસ્ટોરાં જેવી કંપનીઓ સાથે થશે.
2/6

પતંજલિ આયુર્વેદે નાણાકીય વર્ષ 2016-17માં રૂ.10,651 કરોડની રેવન્યુ હાંસલ કરી છે. પતંજલિ ટૂથપેસ્ટ સેગમેન્ટ (દંત કાંતિ)થી રૂ.940 કરોડની આવક થઇ છે. જ્યારે હેર કેર ઓઇલ સેગમેન્ટમાં કંપનીની આવક રૂ.825 કરોડ અને ફેસવોશમાં રૂ.228 કરોડ રહી છે. કંપનીએ દેશી ઘી વેચીને રૂ.1467 કરોડ કમાણી કરી. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરાધિકારીની નિમણુક અંગે જણાવ્યું કે કોઇ સંન્યાસી જ પતંજલિનું સંચાલન કરશે.
Published at : 05 May 2017 02:21 PM (IST)
Tags :
Baba RamdevView More





















