શોધખોળ કરો
Jio સામે ન ટકી શક્યા અનિલ અંબાણી, વર્ષના અંત સુધીમાં બંધ કરશે પોતાનો 2જી મોબાઈલ બિઝનેસ
1/4

ETના એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ ટેલિકૉમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરદીપ સિંહ જેઓ પહેલા મોબિલિટી બિઝનેસના CEO પણ હતા. તેમણે કહ્યું છે કે, ‘અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમારે 20 દિવસની અંદર જ પોતાનો વાયરલેસ બિઝનેસ સમેટવો પડશે. અમે આ ધંધાને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતા આ બિઝનેસ 30 દિવસ કરતા વધારે સમય સુધી નહીં ચાલી શકે.’ જોકે આ ઑડિયો રેકોર્ડિંગની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકાઈ નથી.એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ કોમ્યુનિકેશનના 37 મિલિયન 3G અને 4G કસ્ટમર્સ જેમાં કંઝ્યુમર બ્રૉડબેન્ડ અને 4G પોસ્ટપેડ ડોંગલ કસ્ટમર્સ પણ સામેલ છે. તે સૌને એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં શિફ્ટ કરવામાં આવશે.
2/4

હાલમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલ ખરીદી લીધી છે. અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન પોતાની DTH સર્વિસ પણ બંધ કરશે, કારણકે આવતા મહિને જ કંપનીના લાયસન્સની અવધિ સમાપ્ત થવાની છે. એક પ્રાદેશિક અખબારમાં છપાયેલા વિજ્ઞાપન પ્રમાણે રિલાયંસ કોમ્યનિકેશન પોતાની DTH સર્વિસને 18 નવેમ્બરથી બંધ કરવાની છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ Reliance BIG TVના નામથી પણ જાણીતી છે.
Published at : 26 Oct 2017 10:29 AM (IST)
View More























