શોધખોળ કરો

Ahmedabad : નરોડામાં એકલી રહેતી યુવતીની હત્યા, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

શહેરમાં નરોડાના હંસપુરા ખાતે બંધ મકાનમાંથી 25 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મકાન માલિક છેલ્લા 16 દિવસથી યુવતીને ભાડા માટે ફોન કરતા હતા.

અમદાવાદઃ શહેરમાં નરોડાના હંસપુરા ખાતે બંધ મકાનમાંથી 25 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મકાન માલિક છેલ્લા 16 દિવસથી યુવતીને ભાડા માટે ફોન કરતા હતા. જોકે, યુવતીએ ફોન રિસિવ ન કરતાં તેઓ ભાડુ લેવા પહોંચતાં સમગ્ર હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મૃતક કૈલાશબેન ચૌહાણના છૂટાછેડા થયેલા છે અને અહીં એકલી રહેતી હતી. જેમને મકાન માલિક મહેશભાઈ જોષી છેલ્લા 16 દિવસથી ભાડા માટે ફોન કરતા હતા. જોકે, તેઓ ફોન રિસિવ કરતાં નહોતા. જેથી તેઓ ભાડું લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઘરને બહાર તાળું મારેલું હોવાથી તેમણે તાળું તોડતા મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે, ગત 27મી ફેબ્રુઆરીએ અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો હતો. દેવનંદન સંકલ્પ સિટીમાં મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મકાન માલિકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેવનંદન સંકલ્પ સિટીમાં બે વર્ષ પહેલાં ઈ 404 નંબરનું મકાન ખરીદ્યું હતું. આ મકાન ખેડાના રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપેલું હતું.

છેલ્લા 16 દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતાં હતાં પણ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારે મહેશભાઈને લાગ્યું હતું કે કૈલાશ બહેન મકાન ખાલી કરીને જતા રહ્યાં હશે. મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા તો બેડ પર કૈલાશ બહેનની લાશ હતી. લાશ વિકૃત હાલતમાં હતી. પોલીસને જાણ કરતાં પોલીસે  લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મહિલાના પરિવારને જાણ કરતા તેમણે કૈલાશ બહેન સાથે કોઈ સંબંધ નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવી નથી તેમજ નિવેદન આપવાથી પણ ઇનકાર કરી દીધો હતો.  નરોડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Embed widget