શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મેઘા સૂસાઇડ કેસઃ સૂસાઇડ નોટમાં પતિ અંકિતને લઈને મેઘાએ શું કર્યો છે ધડાકો?
જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું.
![મેઘા સૂસાઇડ કેસઃ સૂસાઇડ નોટમાં પતિ અંકિતને લઈને મેઘાએ શું કર્યો છે ધડાકો? Megha Acharya Suicide case : Allegations on husband in Navsari civil hospital nurse suicide note મેઘા સૂસાઇડ કેસઃ સૂસાઇડ નોટમાં પતિ અંકિતને લઈને મેઘાએ શું કર્યો છે ધડાકો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/27221036/Megha-Acharya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારીઃ નવસારી સિવિલ હોસ્પિટલમાં બજાવતી નર્સ મેઘા આચાર્ય (ઉં.વ. 27)ના આપઘાતના કેસમાં પોલીસે પતિ અંકિત ખંભાતિ, સાસુ જયશ્રીબેન ખંભાતી અને ડો. અવિનાશ દુબેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ડો. દુબે અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણી અને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં પોલીસને છ પાનાની સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં પતિ અને સાસરીવાળા સામે પણ આક્ષેપો કરાયા છે.
મેઘાએ સૂસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જોકે મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે.
મેઘાએ 21 ઓકટોબરની મધરાત્રે પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો. એ પહેલાં તેણે છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતે કેમ આપઘાત કરી રહી છે એ લખ્યું છે. આ કેસમાં પોલીસે ડો. દૂબે, મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુની પણ અટકાયત કરી છે. કોરોના ટેસ્ટ પછી તેમની ધરપકડ કરાશે.
મેઘાએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, તારા ગામીત મેટ્રન દ્વારા મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરતાં હતાં. મેં મોઢા પર ના પાડી ત્યારે મને કહ્યું, હવે અમે તારા ગામીત અને વનિતા પટેલ તને કેવી રીતે હેરાન કરીએ છીએ એ જો.
મેઘાએ લખ્યું છે કે, બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકાતી નથી. આજે મેઘા...તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેસન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણીજોઈને લેવાઈ ચૂક્યો છે. બંનેને વંચાવજો, જેથી જેમના હૃદય નથી તેમનામાં કદાચ કંઈ ફેર પડે.
મેઘાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, રિસ્પેકટેડ મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખીને ચાલજો. તેમ છતાં મેં હિંમત રાખી ડ્યૂટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો તેમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ ) અંકિત કે એના પરિવારના કોઈપણ સદસ્યને આવવા ન દેતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)