શોધખોળ કરો

ICAI દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર

ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જૂન, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જૂન, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આમ પરીક્ષાનું પરિણામ 29.83 ટકા રહ્યું છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 8 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે 29.62 ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 25.28ની ટકાવારી સુચવે છે.

ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચે સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણ કન્યા શાળા સાથે ઓગસ્ટ 2021માં એમઓયુ કર્યા હતાં. જે મુજબ અમદાવાદ બ્રાન્ચ દ્વારા કન્યા શાળાની કુલ 12 વિદ્યાર્થિનીઓને વર્ચ્યુલ કોચિંગ આપવામાં આવ્યું હતું. આ કન્યા શાળાની કુલ 4 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1 વિદ્યાર્થીની પાસ થઈ છે. ICAIના પાસ થનારા કુલ 8 વિદ્યાર્થીઓમાં મહોમ્મદરાહીલ શેખ, ધ્વની શાહ, હેમાક્ષી દુબે, નિષા જોષી, પ્યારેલાલ પ્રજાપતિ, સ્મિત કથિરિયા, કૈફ અંસારી, ક્રિષ્ના અગ્રવાલનો સમાવેશ થાય છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, ડિસેમ્બર 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1059 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 33.60ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 1,10,662 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 33510 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 30.28ની ટકાવારી સુચવે છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યું હતું કે, જુલાઈ 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 1520 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 350 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 23.03ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 71967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19,158 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 26.62ની ટકાવારી સુચવે છે.

આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરીનો સમાવેશ થાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Embed widget