શોધખોળ કરો

કયા દેશનું ચલણ સૌથી મજબૂત ? જો તમને અહીં નોકરી મળી તો થઈ જશો માલામાલ 

ભારતમાં લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે, ત્યારે તેમના મનમાં એક જ વિચાર આવે છે કે તેઓ ક્યાંથી વધુ પગાર મેળવી શકે છે ?

દુનિયાના દરેક દેશના ચલણનું પોતાનું એક મૂલ્ય હોય છે. કેટલાકની કિંમત ખૂબ ઊંચી હોય છે, જ્યારે કોઈની ખૂબ જ ઓછી. જ્યારે પણ ભારતમાં લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે, ત્યારે તેમના મનમાં એક જ વિચાર આવે છે કે તેઓ ક્યાંથી વધુ પગાર મેળવી શકે છે ? જો તમે પણ એવી જગ્યાએ કામ કરવાનું વિચારી રહ્યા છો જ્યાં ચલણ ભારતીય રૂપિયા કરતાં અનેક ગણું મૂલ્યવાન હોય તો જવાબ છે કુવૈત.

વિશ્વની સૌથી તાકતવર કરન્સી

કુવૈતનું કુવૈતી દિનાર (Kuwaiti Dinar)  વિશ્વનું સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. એક કુવૈતી દિનારની કિંમત આશરે 288.54 ભારતીય રૂપિયા છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે ફક્ત 100 કુવૈતી દિનાર હોય તો ભારતમાં તેનું મૂલ્ય આશરે 28,854 રૂપિયા હશે. કલ્પના કરો, જો કોઈ ત્યાં કામ કરે છે અને હજારો દિનારનો પગાર કમાય છે  તો ભારત પાછા ફરવા પર તે રકમ કેટલી મોટી હશે!

આટલું મજબૂત કેમ છે કુવૈતી ચલણ ?

કુવૈત એક નાનો પણ અત્યંત શ્રીમંત દેશ છે. તેની તાકાતનું સૌથી મોટું કારણ તેનો તેલનો ભંડાર છે. કુવૈત વિશ્વના તેલ ભંડારનો લગભગ 7% હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે દેશનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે અને સરકાર પાસે વિદેશી ચલણની કોઈ કમી નથી. કુવેતની કરન્સીને અમેરિકી ડૉલરની પણ ઉપર માનવામાં આવે છે. 

ભારતીયો માટે નોકરીની શાનદાર તક

કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. ભારતીયોની માંગ ખૂબ જ વધારે છે, ખાસ કરીને એન્જિનિયરિંગ, આરોગ્યસંભાળ, બાંધકામ અને IT ક્ષેત્રોમાં. ભારતીયોને અહીં ન માત્ર સારો પગાર મળે છે પરંતુ કરવેરાની પણ કોઈ મુશ્કેલી નથી એટલે કે તેઓ જે કંઈ કમાય છે તે સંપૂર્ણપણે તમારું છે!

જો કોઈ ભારતીય વ્યાવસાયિક દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ છે. આનો અર્થ એ છે કે જેટલો પગાર ભારતમાં ઘણા લોકો વાર્ષિક પગાર મેળવી શકે છે તેટલો અહીં કેટલાક સપ્તાહમાં જ મેળવી શકાય છે. 

શિક્ષણ અને સ્કિલથી અનેક તકો 

જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા વિશેષ સ્કિલ્સ છે તો નોકરી શોધવી મુશ્કેલ નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને  ટેકનિકલ નોલેજ, અંગ્રેજી કોમ્યૂનિકેશન અને પ્રોફેશનલ એટીટ્યૂડવાળા લોકોની જરૂર હોય છે. ઘણા યુવાન ભારતીયો પોતાનું જીવન બદલવા માટે કુવૈત જઈ રહ્યા છે.

ભારત પાછા ફરતા માલામાલ 

કુવૈતમાં થોડા વર્ષો કામ કર્યા પછી લોકો લાખોની બચત સાથે ભારત પાછા ફરે છે. ઘણા લોકો ભારતમાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરે છે અથવા મિલકતમાં રોકાણ કરે છે. ત્યાંના પગાર અને કરન્સી વેલ્યૂ ભારતમાં નવી શરૂઆત કરવાની તક આપે છે.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Advertisement

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget