શોધખોળ કરો

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઈતિહાસ પર એક નજર

પ્રથમ એસેમ્બલી 1952 માં બનાવવામાં આવી હતી. 7મી વિધાનસભા 1983માં અસ્તિત્વમાં આવી. ત્યારબાદ ભાજપે રાજ્યની 110 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા અને 18 બેઠકો જીતી હતી.

Karnataka Election: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ છે. આજે કર્ણાટકમાં ભાજપની વાપસી થશે કે કોંગ્રેસ બાજી મારશે તે જોવું રહ્યું. કર્ણાટકમાં પાંચ વર્ષે સત્તા પરિવર્તનનનું વલણ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામ પહેલા  કર્ણાટક  ચૂંટણીના ઇતિહાસ પર નજર કરીએ.

કર્ણાટક 1956 માં રાજ્ય બન્યું, તે પછી તે મૈસૂર તરીકે જાણીતું હતું. 1973માં તેનું નામ કર્ણાટક રાખવામાં આવ્યું. પ્રથમ એસેમ્બલી 1952 માં બનાવવામાં આવી હતી. 7મી વિધાનસભા 1983માં અસ્તિત્વમાં આવી. ત્યારબાદ ભાજપે રાજ્યની 110 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા અને 18 બેઠકો જીતી. 2004ની ચૂંટણી સુધી ભાજપે અહીં પગ જમાવ્યો હતો. ત્યારબાદ પાર્ટીએ 224માંથી 71 બેઠકો જીતી અને લોકસભામાં 18 બેઠકો જીતી.

 2018ની કર્ણાટક ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી?

વર્ષ 2018માં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષ ભાજપ અને BSP સાથે ગઠબંધન કરીને લડી રહેલા JDS વચ્ચે હતો. ભાજપે 223 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં ભાજપે 104 સીટો પર જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસે 221 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેના 78 ઉમેદવારો જીત્યા હતા. જેડીએસે 200 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 18.36 ટકા મત મળ્યા હતા

Karnataka Results 2023: કર્ણાટકમાં કેટલું મતદાન થયું, શું છે તેનું  મહત્વ

કર્ણાટકમાં આ વખતે રેકોર્ડ મતદાન (73.19 ટકા) થયું છે. આ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. જે 2018ની ચૂંટણી કરતાં લગભગ એક ટકા વધુ છે. બેંગ્લોર ગ્રામીણમાં 85% અને જૂના મૈસૂરમાં 84% મતદાન થયું હતું. ચૂંટણી વિશ્લેષક અમિતાભ તિવારીના મતે, જ્યારે પણ મતદાનની ટકાવારી વધે છે, તે શાસક પક્ષને સૌથી વધુ અસર કરે છે.

Karnataka Election Result 2023: કર્ણાટક પરિણામ પહેલા BJPની બેઠક, શું કોંગ્રેસે JDS સાથે ખેલ પાડી દીધો? મલ્લિકાર્જુન ખડગેએ કર્યો ખુલાસો

arnataka Election Result 2023: શનિવાર (13 મે)ના રોજ કર્ણાટક ચૂંટણીમાં પરિણામોનો વારો છે. સત્તાધારી ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને કુમારસ્વામીની જનતા દળ સેક્યુલર (JDS) સાથે મુખ્ય મુકાબલો છે. એક્ઝિટ પોલ અનુસાર મોટાભાગના સર્વેમાં કોંગ્રેસને જીતની દાવેદાર જાહેર કરવામાં આવી છે. સાથે જ ભાજપના હાથમાંથી સત્તા જતી જોવા મળી રહી છે.

આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસ ત્રિશંકુ જનાદેશની આશા રાખી રહી છે જેથી તે ફરી એકવાર 2018ની જેમ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે.

શું કોંગ્રેસે જેડીએસ સાથે સેટિંગ કરી લીધું છે?

ચૂંટણી પરિણામ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી મેળવવા જઈ રહી છે. તો બીજી તરફ, એચડી કુમારસ્વામી સાથે શું થઈ રહ્યું છે તે અંગેની ચર્ચા પર, કહ્યું કે અમે તેમનો સંપર્ક કર્યો નથી. તેમણે કહ્યું, “અમને ભારે બહુમતી મળી રહી છે. પરિણામો આવ્યા પછી તેઓ આગળ શું કરવું તે નક્કી કરશે." કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એમ પણ કહ્યું કે જેડીએસ સાથે ગઠબંધનનો કોઈ અવકાશ નથી કારણ કે અમને બહુમતી મળશે. મને પુરો વિશ્વાસ છે કે કોંગ્રેસ ચૂંટણી જીતશે.

ભાજપની બેઠક

તે જ સમયે, સીએમ બસવરાજ બોમ્માઈએ પણ કહ્યું કે માત્ર ભાજપને જ સ્પષ્ટ બહુમતી મળશે. શુક્રવારે (12 મે) બોમ્માઈએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના નેતાઓ મુરુગેશ નિરાની, બૈરથી બસવરાજ, લહર સિંહ સિરોયા અને એટી રામાસ્વામી સામેલ હતા. બીજી તરફ જેડીએસ કહી રહ્યું છે કે તે પરિણામ પછી જ કંઈક કહેશે.

બસવરાજ બોમ્માઈએ શું કહ્યું?
બસવરાજ બોમ્માઈએ કહ્યું, “મારું સ્ટેન્ડ સતત અને સુસંગત રહ્યું છે કે અમને સંપૂર્ણ બહુમતી મળશે. અમને તમામ મતવિસ્તારો અને જિલ્લાઓમાંથી અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મળ્યા છે. કેટલાક જિલ્લાઓમાં, અમે બૂથ મુજબ (ડેટા) એકત્રિત કર્યા છે અને અમને વિશ્વાસ છે કે અમે બહુમતી સુધી પહોંચીશું. કોંગ્રેસે તેના ધારાસભ્યોને એકસાથે રાખવા માટે કથિત રીતે રિસોર્ટ બુક કર્યા તે અંગે પૂછવામાં આવતા, બોમ્માઈએ કહ્યું કે તેનો અર્થ એ છે કે તેમને બહુમતી નહીં મળે અને તેથી તેઓ અન્ય પક્ષોના સંપર્કમાં છે.

JDSએ શું કહ્યું?
જેડીએસના તનવીર અહેમદે કહ્યું હતું કે ત્રિશંકુ સ્થિતિ સર્જાય તે પહેલા જ અમે નક્કી કરી લીધું છે કે અમે કોની સાથે જઈશું. આ અંગે જેડીએસના કર્ણાટક યુનિટના પ્રમુખ ઈબ્રાહિમે કહ્યું કે તનવીર અહેમદને છ મહિના પહેલા પાર્ટીના પ્રવક્તા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમની વાતને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે અમે કર્ણાટક ચૂંટણીના પરિણામોની રાહ જોઈશું. આ પછી જ નિર્ણય લેવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
Embed widget