શોધખોળ કરો

ABP C Voter Survey: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી! યુપીમાં પીએમ પદ માટે કોણ છે પસંદ, સર્વેમાં મળ્યો ચોંકાવનારો જવાબ

ABP C Voter Survey 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો કમર કસી ગયા છે. 19 એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા વિશાળ રેલીઓ યોજવામાં આવી રહી છે.

ABP C Voter Survey 2024:  દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.  19 એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ABP CVoter એ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની જનતા વડાપ્રધાન તરીકે કોને પસંદ કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

સર્વેમાં ભાગ લેનાર ઉત્તર પ્રદેશના લોકોને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી વડાપ્રધાન પદ માટે તેમની પસંદગી કોણ છે? સર્વેમાં આ સવાલના જવાબથી લોકો ચોંકી ગયા છે.

પીએમ પદ માટે યુપીમાં કોની પસંદગી?

એબીપી સી વોટરના સર્વેમાં જ્યારે યુપીના લોકોને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે તો 62 ટકા લોકોએ એકતરફી નરેન્દ્ર મોદીનું નામ લીધું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદની ચૂંટણી જીત્યા અને હજુ પણ વડાપ્રધાન પદ માટે યુપીની જનતાની પહેલી પસંદ છે.

જ્યારે 28 ટકા લોકોએ કહ્યું કે પીએમ પદ માટે તેમની પસંદગી રાહુલ ગાંધી છે. આ સવાલના જવાબમાં 7 ટકા લોકોએ બંનેના નામ આપવાનો ઇનકાર કર્યો હતો અને 3 ટકા લોકોએ ખબર નથી કહ્યું હતું.

યુપીના માત્ર 40 ટકા લોકો જ કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટ છે

ભારતીય જનતા પાર્ટી પોતાના કામના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે. ભાજપનું કહેવું છે કે તે યુપીમાં ક્લીન સ્વીપ કરશે એટલે કે પાર્ટી તમામ 80 સીટો પર જીતનો દાવો કરી રહી છે.

જો કે, જ્યારે આ દાવા અંગે એક સર્વે કરવામાં આવ્યો ત્યારે યુપીના માત્ર 40 ટકા લોકો જ કેન્દ્ર સરકારની કામગીરીથી ખુશ દેખાયા. 30 ટકા લોકોએ કહ્યું કે તેઓ કેન્દ્રની કામગીરીથી અસંતુષ્ટ છે. જ્યારે 29 ટકા લોકોએ કહ્યું કે તેઓ કેન્દ્રના કામથી ઓછા સંતુષ્ટ છે.

પીએમ મોદીના કામથી લોકો કેટલા ખુશ છે?

એક તરફ, કેન્દ્રની કામગીરીથી રાજ્યના લોકોમાં નારાજગી હશે, પરંતુ મોટાભાગના લોકો વડાપ્રધાન મોદીની કામગીરીથી સંતુષ્ટ જણાતા હતા. સર્વેમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના 51 ટકા લોકો વડાપ્રધાન મોદીના કામથી સંતુષ્ટ છે. જ્યારે અસંતુષ્ટ લોકોની સંખ્યા 27 ટકા અને ઓછા સંતુષ્ટ લોકોની સંખ્યા 22 ટકા હતી.

નોંધઃ લોકસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાનું પ્રચાર 17 એપ્રિલે સમાપ્ત થશે. તે પહેલા એબીપી ન્યૂઝ માટે સી વોટર યુપીના લોકોનો મૂડ જાણી ચૂક્યા છે. 1 થી 9 એપ્રિલ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં યુપીના લગભગ 1 હજાર 300 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Embed widget