શોધખોળ કરો

Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ

મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનોને લઈને વિવાદો થવા લાગ્યા છે બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ એક નિવેદનને લઈને રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી છે.

LIVE

Key Events
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ

Background

Lok sabha Election 2024 Live:મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે, ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી છે. અમિત માલવિયાએ રાજપૂત સમુદાય પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને તાત્કાલિક રાજપૂત સમુદાયની માફી માંગવાની માંગ કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.

લોકસભા ચૂંટણી 2024માં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે અને રાહુલ ગાંધી પાસેથી રાજપૂત સમુદાયની તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર અમિત માલવિયાએ કહ્યું છે કે આ વાંધાજનક ટિપ્પણી માટે રાહુલ ગાંધીએ તરત જ રાજપૂત સમુદાયની માફી માંગવી જોઈએ. વાસ્તવમાં, અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.

જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે, “રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશ માટે બંધારણ મેળવ્યું.

પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રાજપૂત સમાજમાં રોષ

આ પહેલા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજપૂત સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેની અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ જોવા મળી હતી. પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ સતત ભાજપનો વિરોધ કરી રહ્યો છે. જો કે પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે.

14:47 PM (IST)  •  28 Apr 2024

રાહુલ ગાંધીના રાજા રજવાડા નિવદેન પર પી ટી જાડેજાએ શું કહ્યું

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલે સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા, ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.

14:35 PM (IST)  •  28 Apr 2024

ચૂંટાયેલા સભ્યોને સી આર પાટીલે શુ કરી ટકોર 

ચૂંટાયેલા સભ્યોને સી આર પાટીલે ટકોર કરતાં કહ્યું, તમે તમારી મહેનતથી નહીં કાર્યકરોની મહેનત અને મોદીજીના નામથી જીત્યા છો. કાર્યકરોનું અપમાન બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે. વિધાનસભામાં 156 જીત્યા તેનું કારણ પણ પ્રધાનમંત્રી મોદીજીની લોકપ્રિયતા જ છે.

14:32 PM (IST)  •  28 Apr 2024

Lok Sabha Elections Live: કાર્યકર્તા કારણે જ આજે ભાજપ વર્ષોથી સત્તામાં છેઃ પાટીલ 

ભાજપ પ્રદેશ પ્રમુખે મોડાસામાં કાર્યકર્તા સંમેલનમાં કહ્યું, કાર્યકર્તાઓના કારણે જ આજે ભાજપ વર્ષોથી સત્તામાં છે. ભાજપના કાર્યકર પર લોકોને વિશ્વાસ છે, કોરોનામાં પણ ભાજપનો કાર્યકર ફિલ્ડમાં કામ કરતો હતો. મતદાતાઓ મોદી સાહેબના નામ પર મત આપે છે.

14:05 PM (IST)  •  28 Apr 2024

Lok Sabha Elections Live: મોડાસામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું

મોડાસામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મંત્રી  હાજર  રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.

13:47 PM (IST)  •  28 Apr 2024

Lok Sabha Elections Live: પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને શું કરી અપીલ

પ્રદીપસિંહ વાઘેલાના જય માતાજી. ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્નતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયોArvind Ladani | જવાહર ચાવડાએ ભાજપ વિરોધી મતદાન કરવા બોલાવી હતી મીટિંગ... જૂનાગઢ ભાજપમાં ભડકોNaran Kachdiya |ભાજપના કાર્યકરોની અવગણના મેં નજરે જોઈ છે.. | ભાજપમાં ભડકાના એંધાણBharat Kanabar| ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી...નારણ કાછડિયાના આક્રોશ પર શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Railway Vacancy: રેલવેમાં લોકો પાયલટ બનવાની સુવર્ણ તક, જાણો કેટલો મળશે પગાર?
Railway Vacancy: રેલવેમાં લોકો પાયલટ બનવાની સુવર્ણ તક, જાણો કેટલો મળશે પગાર?
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ AAP હેડક્વાર્ટર પહોંચ્યા, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
Arvind Kejriwal Live: કેજરીવાલ AAP હેડક્વાર્ટર પહોંચ્યા, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
Embed widget