શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા ચૂંટણીઃ થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર
લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્યપ્રદેશના 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે.
![લોકસભા ચૂંટણીઃ થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર Loksabha Elections 2019 Sadhvi Pragya Singh Thakur to contest against Digvijay Singh from Bhopal લોકસભા ચૂંટણીઃ થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/17165148/sadhvi-pragya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્યપ્રદેશના 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશની હાઇ પ્રોફાઇલ સીટ પરથી તેઓ ચૂંટણી લડશે. આ સીટ પર કોંગ્રેસે તેના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત ભાજપ દ્વારા વિદિશા બેઠક પરથી રમાકાંત ભાર્ગવ, સાગર બેઠક પરથી રાજ બહાદુર સિંહ અને ગુના બેઠક પરથી ડો. કે.પી. યાદવને ટિકિટ ફાળવી છે.
સાધ્વી પ્રજ્ઞા ભોપાલ બેઠક પરતી તેનું નામ જાહેર થયાના ગણતરીના કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન સાથે મુલાકાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજેપીનું સભ્યપદ લઈ રહી છું એન હું ચૂંટણી લડીશ અને જીતીશ.BJP releases list of four candidates for #LokSabhaElections2019 in Madhya Pradesh; Sadhvi Pragya Singh Thakur to contest from Bhopal against Congress's Digvijaya Singh. pic.twitter.com/mSiSX8Xfsz
— ANI (@ANI) April 17, 2019
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ સમાચારોમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં દોષમુક્ત થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના જોરદાર નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાન પર લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું એબીવીપી અને દુર્ગા વાહિની સાથે સંપર્ક રહ્યો છે.Sadhvi Pragya Singh Thakur, BJP on her candidature from Bhopal, MP in #LokSabhaElections2019 : Hum tayar hain, ab ussi karya mein lag gayi hun. pic.twitter.com/16PE5OcVSG
— ANI (@ANI) April 17, 2019
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે 'હિન્દુ આતંકવાદ'નો જુમલો ઘઢ્યો અને આ નેરેટિવને સેટ કરવા માટે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા. 2 એપ્રિલ, 201ના રોજ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા જ આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.Sadhvi Pragya Singh Thakur in Bhopal: I have formally joined BJP, I will contest elections and will win also. #LokSabhaElections2019 pic.twitter.com/siAsXSMm1U
— ANI (@ANI) April 17, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)