શોધખોળ કરો

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ, જાણો એક્ઝિટ પોલમાં કોણ મારી રહ્યું છે બાજી

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, ઇન્ડિયા એલાયન્સને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે.

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, ઇન્ડિયા એલાયન્સને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDAને 22-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 23-25 ​​બેઠકો મળવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. અહીં લોકસભાની 48 બેઠકો માટે મુખ્ય મુકાબલો મહાયુતિ (ભાજપ, શિવસેના, એનસીપી) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર ગ્રુપ), શિવસેના-યુબીટી) વચ્ચે છે. આ સિવાય વંચિત બહુજન અઘાડી અને AIMIM પણ મેદાનમાં છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ દરેક 4 જૂનની રાહ જોઈ રહ્યા છે, જો કે આ પહેલા એક્ઝિટ પોલે રાજકીય પાર્ટીઓના ધબકારા વધારી દીધા છે.

નાના પટોલેનો મોટો દાવો

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સીટોને લઈને મોટો દાવો કર્યો છે. પટોલેએ કહ્યું, "કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠક બોલાવી છે. આજે 'ઈન્ડિયા' ગઠબંધનના તમામ નેતાઓ મળશે. ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જોઈએ. આ સામાન્ય માણસની પણ ભાવના છે કે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનવું જોઈએ. મને નથી ખબર કે આ વિશે ચર્ચા થશે કે નહીં. ઈન્ડિયા ગઠબંધન 300થી વધુ બેઠકો જીતશે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને કેટલી સીટો મળશે?
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે "MVA મહારાષ્ટ્રમાં 48માંથી 40 બેઠકો મેળવશે." પટોલેએ કહ્યું કે શિવસેના (UBT) કોંગ્રેસ કરતાં વધુ સીટો જીતશે કારણ કે તે વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.

પટોલેએ દાવો કર્યો હતો કે "લોકોને લાગવા માંડ્યું છે કે આખા દેશનો પ્રવાસ કરી ચૂકેલા રાહુલ ગાંધી પરિવર્તન લાવી શકે તેવા નાયક છે. મહારાષ્ટ્રમાં પણ MVAના ઉમેદવારોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ 14 થી 15 બેઠકો જીતી રહી છે." કોંગ્રેસ મહારાષ્ટ્રમાં 17 સીટો પર ચૂંટણી લડી છે.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો દાવો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ જીતનો દાવો કર્યો છે. સીએમ શિંદેએ આગાહી કરી હતી કે ભાજપ-એનડીએ 400 થી વધુ બેઠકો જીતશે, જ્યારે વર્તમાન લોકસભા ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી, શિવસેના (યુબીટી) ના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેનો સંપૂર્ણ સફાયો થઈ જશે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભા ચૂંટણી રસપ્રદ રહી હતી. પ્રથમ વખત એનસીપી અને શિવસેનાએ બે જૂથોમાં વહેંચાઈને એકબીજા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. હવે દેશમાં કોની સરકાર બનશે તે તો 4 જૂને જ ખબર પડશે.

ક્યારે અને કયા તબક્કામાં કેટલી બેઠકો પર થયું મતદાન?

  • પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.
  • બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.
  • ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.
  • ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.
  • પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.
  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.
  • સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.

(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને આ સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર સર્વેનું રાજ્ય સ્તર પર  માર્જિન ઓફ એરર + અને -3 ટકા અને પ્રાદેશિક સ્તરે + અને -5 ટકા છે.)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget