શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પછી રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા, કોને મળી શકે છે મંત્રીપદ?

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. બનાસકાંઠા બેઠક પરથી દિલ્લીની દોડમાં ઉતરેલા પરબત પટેલ હાલ રાજય સરકારમાં મંત્રી છે. જો પરબત પટેલની જીત થાય તો મંત્રીપદે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમના અંગે પણ પુનઃવિચારણા થઈ શકે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કૉંગ્રેસના હરિફ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનાવણી આખરી તબક્કામાં છે. જો નિર્ણય વિપરીત આવે તો તેમનું મંત્રીપદ અને ધારાસભ્ય પદ પણ જોખમમાં છે.
મંત્રી વાસણભાઈ આહીર પણ હાલ એક કથિત વિવાદમાં સપડાયેલા છે, ત્યારે જો વિવાદ આગળ વધે તો તેમની પણ મુશ્કેલી વધી શકે. આવા સંજોગોમાં ચારથી પાંચ મંત્રીઓની એક્ઝિટ થાય તો નવા ચહેરાઓને સ્થાન મળી શકે. હાલ સંસદીય સચિવોની નિમણૂકોને લઈને પણ રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી નવા સભ્યોને સમાવેશ થઈ શકે. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ સીધા જ મંત્રી બનાવી દેવાતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની વાત છે ત્યારે આ નારાજગી દૂર કરવાના ભાગરૂપે પણ આ સંભવિત ફેરબદલને જોવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારનું મંત્રીમંડળ વધુમાં વધુ 27 સભ્યોનું હોય શકે, ત્યારે ચૂંટણી પરિણામ બાદ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરબદલની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget