શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પછી રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા, કોને મળી શકે છે મંત્રીપદ?

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. બનાસકાંઠા બેઠક પરથી દિલ્લીની દોડમાં ઉતરેલા પરબત પટેલ હાલ રાજય સરકારમાં મંત્રી છે. જો પરબત પટેલની જીત થાય તો મંત્રીપદે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમના અંગે પણ પુનઃવિચારણા થઈ શકે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કૉંગ્રેસના હરિફ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનાવણી આખરી તબક્કામાં છે. જો નિર્ણય વિપરીત આવે તો તેમનું મંત્રીપદ અને ધારાસભ્ય પદ પણ જોખમમાં છે. મંત્રી વાસણભાઈ આહીર પણ હાલ એક કથિત વિવાદમાં સપડાયેલા છે, ત્યારે જો વિવાદ આગળ વધે તો તેમની પણ મુશ્કેલી વધી શકે. આવા સંજોગોમાં ચારથી પાંચ મંત્રીઓની એક્ઝિટ થાય તો નવા ચહેરાઓને સ્થાન મળી શકે. હાલ સંસદીય સચિવોની નિમણૂકોને લઈને પણ રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી નવા સભ્યોને સમાવેશ થઈ શકે. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ સીધા જ મંત્રી બનાવી દેવાતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની વાત છે ત્યારે આ નારાજગી દૂર કરવાના ભાગરૂપે પણ આ સંભવિત ફેરબદલને જોવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારનું મંત્રીમંડળ વધુમાં વધુ 27 સભ્યોનું હોય શકે, ત્યારે ચૂંટણી પરિણામ બાદ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરબદલની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget