શોધખોળ કરો
Advertisement
આ પાર્ટીએ જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધની માગણી કરી
શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે જાહેર સ્થલો પર ચેહરો ઢાકવા અથવા તો બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે ભારતમાં પણ આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે જાહેર સ્થલો પર ચેહરો ઢાકવા અથવા તો બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે ભારતમાં પણ આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં તંત્રીલેખમાં લખીને પ્રધાનમંત્રી મોદી પાસે ભારતમાં બુરખા પર પ્રતિબંધની માગ કરી છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, દેશની સલામતી ખાતર અને સલામતી દળોને શંકાસ્પદ લોકોને ઓળખવામાં તકલીફ ન પડે તે માટે જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર પ્રતિબંધ હોવો જોઇએ. જાહેરમાં બુરખા પહેરવાથી દેશની સુરક્ષા પર ખતરો આવી શકે છે.
એક અખબારી અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકવા માટે સ્થાનિક મસ્જિદો અને મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, પરંપરાગત રિતરીવાજોમાં મુસ્લિમો ક્યારેય બુરખા પહેરતા નહીં. પણ 1990નાં ખાડી યુદ્ધ પછી મહિલાઓમાં બુરખા પહેરવાની શરૂઆત થઇ છે. શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ સમયે શકમંદો બુરખામાં આવ્યા હોવાની શંકા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
ગુજરાત
Advertisement