શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગોડસેને દેશભક્ત ગણાવવા પર ભડક્યા PM મોદી, કહ્યુ- સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહી કરી શકું
વડાપ્રધાન મોદીએ તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભલે તેમણે આ મુદ્દા પર માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને મનથી ક્યારેય માફ નહી કરી શકું.
![ગોડસેને દેશભક્ત ગણાવવા પર ભડક્યા PM મોદી, કહ્યુ- સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહી કરી શકું Will never forgive Sadhvi Pragya for insulting Gandhi, says PM Modi ગોડસેને દેશભક્ત ગણાવવા પર ભડક્યા PM મોદી, કહ્યુ- સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહી કરી શકું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/17155400/namo_pm_1558085467_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જેના પર વિવાદ પેદા થઇ ગયો હતો. હવે વડાપ્રધાન મોદીએ તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભલે તેમણે આ મુદ્દા પર માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને મનથી ક્યારેય માફ નહી કરી શકું.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે વડાપ્રધાન મોદીને સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેને લઇને જે વાત કરવામાં આવી છે તે ભયંકર ખરાબ છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બાબતો પુરી રીતે ધૃણાસ્પદ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાતો ચાલતી નથી. ભલે આ મામલામાં તેમણે માફી માંગી લીધી હોય પરંતુ હું મારા મનથી તેમને ક્યારેય માફ નહી કરી શકું. નોંધનીય છે કે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. જેના પર ભારતીય જનતા પાર્ટીની ખૂબ ટીકા થઇ હતી. વિવાદ વધતા સાધ્વી પ્રજ્ઞા સિંહે માફી માંગી લીધી હતી. અમિત શાહે પણ કહ્યુ હતું કે, આ તેમનો અંગત મત છે. પાર્ટીને તેની સાથે કાંઇ લેવાદેવા નથી. શાહે લખ્યું કે, બીજેપીની અનુશાસન સમિતિ તેમના વિરુદ્ધ એક્શન લેશે.गांधी जी या गोडसे के बारे में जो बयान दिए गए हैं वो बहुत ख़राब है और समाज के लिए बहुत गलत हैं।
ये अलग बात है की उन्होंने माफ़ी मांग ली, लेकिन मैं उन्हें मन से कभी माफ़ नहीं कर पाऊंगा: पीएम मोदी #DeshKaGauravModi — BJP (@BJP4India) May 17, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)