શોધખોળ કરો
તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં અક્ષય કુમાર ફસાયો, સાઈબર સેલમાં નોંધાવવી પડી ફરીયાદ, જાણો શું છે મામલો

1/3

આ મામલે પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી યૂટ્યૂબ આ પ્રકારનો કોઈ વીડિયો નથી મળ્યો. શક્યતા છે કે કોઈએ તેને હટાવી દિધો હોય અથવા બ્લોક કરી દિધો હોય. પોલીસ તપાસ માટે અક્ષય પાસે વીડિયોની કોપી માંગી છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને નાના પાટેકર ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ હાઉસફૂલ 4માં સાથે જોવા મળશે.
2/3

મુંબઈ: બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હંમેશા પોતાને વિવાદોથી દૂર રાખવાની કોશિશ કરે છે. પરંતુ હાલમાં તે તનુશ્રી-નાના વિવાદમાં પોતાને દૂર નથી કરી શક્યો. તનુશ્રી-નાના પાટેકર વિવાદ મામલે અક્ષય કુમારનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અક્ષય કુમાર તનુશ્રીને લઈને કંઈક કહેતો જોવા મળે છે. જેના કારણે અક્ષય કુમારે બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ સ્થિત સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
3/3

અક્ષય કુમારની આ ફરીયાદની જાણકારી તેમના પ્રવક્તા અને સાઈબર સેલે આપી છે. વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર તનુશ્રી-નાના પાટેકર વિવાદ પર પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે, પરંતુ અક્ષય કુમારે ફરીયાદમાં દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધી આ વિવાદ મામલે કંઈ નથી બોલ્યો. જેના કારણે આ પ્રકારના વીડિયોથી પોતાની પ્રતિષ્ઠાને લઈને અક્ષય કુમાર દુખી છે.
Published at : 08 Oct 2018 04:26 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
દેશ
અમદાવાદ
Advertisement