![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ranbir-Alia Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે આલિયા-રણબીર
નીતુ કપૂરે કહ્યું કે 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે. નીતુ કપૂરને આલિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે
![Ranbir-Alia Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે આલિયા-રણબીર Alia Bhatt-Ranbir Kapoor's wedding on April 14 Ranbir-Alia Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે આલિયા-રણબીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/13/f818a24b2484e96d9805cdd8808efe35_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. 14 એપ્રિલે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી. રિદ્ધિમાએ કહ્યું કે આલિયા અને રણબીર 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
View this post on Instagram
રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્ન કરવાના છે. નીતુ કપૂરે કહ્યું કે 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે. નીતુ કપૂરને આલિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે. નીતુ કપૂર બાદ રિદ્ધિમાએ કહ્યું કે આલિયા ખૂબ જ ક્યૂટ છે. તે ઢીંગલી જેવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ એકદમ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.
નોંધનીય છે કે બંન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે આલિયા અને રણબીર પ્રથમવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)