શોધખોળ કરો

Bollywood : વર્ષો બાદ સુશાંતની આત્મહત્યાને લઈ મનોજ વાજપેયીએ કર્યો ખુલાસો

દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તમે આ દુનિયાની બહારથી આવો છો, તો ભત્રીજાવાદને દિલ પર ન લો. પણ તમારી ઊર્જા તમારી કળામાં લગાવો.

Sushant Singh Rajput Death : મનોજ બાજપેયી આ દિવસોમાં પોતાની ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 23 મે, મંગળવારે OTT પર રિલીઝ થઈ છે. આ દરમિયાન એક વાતચીતમાં મનોજ બાજપેયીએ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેતાએ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ હંમેશાથી રહ્યું છે. તેણે બહારના લોકોને પણ ચેતવણી આપી છે. 

દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તમે આ દુનિયાની બહારથી આવો છો, તો ભત્રીજાવાદને દિલ પર ન લો. પણ તમારી ઊર્જા તમારી કળામાં લગાવો. મનોજ બાજપેયીએ ખુલાસો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતે તેમની પરેશાનીઓ તેમની સાથે શેર કરી છે. મનોજ કહે છે, 'તે સ્ટાર બની ગયો, પરંતુ તે અહીંની રાજનીતિ સંભાળી શક્યો નહીં.'

મનોજ બાજપેયીએ 'આજ તક' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'હું ક્યારેય નેપોટિઝમથી પ્રભાવિત થયો નથી, કારણ કે હું જે ફિલ્મોમાં કામ કરું છું તે કોઈ સ્ટારકિડ્સ નહીં કરે.' તે આગળ કહે છે, 'નવાઝે આ કર્યું હોત, ઈરફાને કર્યું હોત અથવા કેકે મેનને કર્યું હોત. આ કોમર્શિયલ ફિલ્મો નથી, તેથી તેના પર કોઈ ધ્યાન આપતું નથી અને ન તો તેમાં પોતાના પૈસા રોકે છે. તેથી તમે તેને હંમેશા બહાના તરીકે ન લઈ શકો. તમારી ઉર્જા વેડફશો નહીં. થિયેટર કરો, જો તમે સારા એક્ટર છો તો તમે શેરીમાં પરફોર્મ કરીને પણ પૈસા કમાઈ શકો છો.

'સુશાંતના મૃત્યુથી હું હચમચી ગયેલો'

જ્યારે મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ભત્રીજાવાદની ચર્ચાને નવી હવા મળી છે? જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે સુશાંતના મૃત્યુથી ખૂબ પ્રભાવિત થયો હતો. સોનચિરિયાના શૂટિંગ દરમિયાન અમે ખરેખર નજીકના મિત્રો બની ગયા હતા. તે મને ખૂબ પ્રેમ કરતો હતો. હું ઘણીવાર સેટ પર મટન રાંધતો અને તે હંમેશા ખાવા આવતો. અમને ખબર નહોતી કે તે આટલું મોટું પગલું ભરશે. તેણે મારી સાથે તેના પડકારો અને સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી હતી.

'સુશાંત રાજકારણ અને જૂથવાદને સંભાળી શક્યો નહીં'

મનોજ બાજપેયી આગળ કહે છે, 'ક્યાંક સુશાંત ઇન્ડસ્ટ્રીમાં રાજકારણ અને જૂથવાદને સંભાળી ના શક્યો. જેમ જેમ વ્યક્તિ તેની કારકિર્દીમાં આગળ વધે છે તેમ તેમ સ્પર્ધા વધે છે. તમે સમસ્યાઓનો સામનો કરો છો. ઉદ્યોગમાં રાજકારણ હંમેશા રહ્યું છે. જેમ જેમ તમે સફળતાની સીડી ઉપર ચઢો છો તેમ તેમ તે વધુ ગંદું થતું જાય છે. મને તેની સાથે ક્યારેય કોઈ સમસ્યા ન હતી, કારણ કે હું હઠીલા અને જાડી ચામડીનો હતો. પરંતુ તે ન હતો અને તે તેના જેવા દબાણને સંભાળી શક્યો ન હતો. તેણે મારી સાથે આ બાબતો વિશે વાત કરી કારણ કે, તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો.

સુશાંતનો આત્મા ખૂબ જ શુદ્ધ હતો ‌-મનોજ બાજપેયી

મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું કે, શું સુશાંત સિંહ રાજપૂત નેપોટિઝમનો શિકાર બન્યો હતો? તો અભિનેતાએ તેને ફગાવી દીધો હતો. મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, તે પોતાના માટે ખૂબ જ અલગ પ્રકારની કારકિર્દી ઇચ્છતો હતો. 'ધ ફેમિલી મેન' ફેમ અભિનેતાએ કહ્યું હતું કે, જો તમારે મનોજ બાજપેયી બનવું હોય તો અહીં કોઈ રાજકારણ નથી. પરંતુ તે સ્ટાર બનવા માંગતો હતો અને તેમાં ઘણી હરીફાઈ છે. જે કોઈ સ્ટાર બનવાનું નક્કી કરે છે, તે તેને હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ સુશાંત આ બધું સહન કરી ના શક્યો. મને લાગ્યું કે, તેનો આત્મા ખૂબ જ શુદ્ધ છે અને તે અંદરથી એક નાનું બાળક છે. તે બાબતને સમજી ના શક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget