શોધખોળ કરો

Bollywood : વર્ષો બાદ સુશાંતની આત્મહત્યાને લઈ મનોજ વાજપેયીએ કર્યો ખુલાસો

દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તમે આ દુનિયાની બહારથી આવો છો, તો ભત્રીજાવાદને દિલ પર ન લો. પણ તમારી ઊર્જા તમારી કળામાં લગાવો.

Sushant Singh Rajput Death : મનોજ બાજપેયી આ દિવસોમાં પોતાની ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 23 મે, મંગળવારે OTT પર રિલીઝ થઈ છે. આ દરમિયાન એક વાતચીતમાં મનોજ બાજપેયીએ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેતાએ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ હંમેશાથી રહ્યું છે. તેણે બહારના લોકોને પણ ચેતવણી આપી છે. 

દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તમે આ દુનિયાની બહારથી આવો છો, તો ભત્રીજાવાદને દિલ પર ન લો. પણ તમારી ઊર્જા તમારી કળામાં લગાવો. મનોજ બાજપેયીએ ખુલાસો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતે તેમની પરેશાનીઓ તેમની સાથે શેર કરી છે. મનોજ કહે છે, 'તે સ્ટાર બની ગયો, પરંતુ તે અહીંની રાજનીતિ સંભાળી શક્યો નહીં.'

મનોજ બાજપેયીએ 'આજ તક' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'હું ક્યારેય નેપોટિઝમથી પ્રભાવિત થયો નથી, કારણ કે હું જે ફિલ્મોમાં કામ કરું છું તે કોઈ સ્ટારકિડ્સ નહીં કરે.' તે આગળ કહે છે, 'નવાઝે આ કર્યું હોત, ઈરફાને કર્યું હોત અથવા કેકે મેનને કર્યું હોત. આ કોમર્શિયલ ફિલ્મો નથી, તેથી તેના પર કોઈ ધ્યાન આપતું નથી અને ન તો તેમાં પોતાના પૈસા રોકે છે. તેથી તમે તેને હંમેશા બહાના તરીકે ન લઈ શકો. તમારી ઉર્જા વેડફશો નહીં. થિયેટર કરો, જો તમે સારા એક્ટર છો તો તમે શેરીમાં પરફોર્મ કરીને પણ પૈસા કમાઈ શકો છો.

'સુશાંતના મૃત્યુથી હું હચમચી ગયેલો'

જ્યારે મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ભત્રીજાવાદની ચર્ચાને નવી હવા મળી છે? જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે સુશાંતના મૃત્યુથી ખૂબ પ્રભાવિત થયો હતો. સોનચિરિયાના શૂટિંગ દરમિયાન અમે ખરેખર નજીકના મિત્રો બની ગયા હતા. તે મને ખૂબ પ્રેમ કરતો હતો. હું ઘણીવાર સેટ પર મટન રાંધતો અને તે હંમેશા ખાવા આવતો. અમને ખબર નહોતી કે તે આટલું મોટું પગલું ભરશે. તેણે મારી સાથે તેના પડકારો અને સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી હતી.

'સુશાંત રાજકારણ અને જૂથવાદને સંભાળી શક્યો નહીં'

મનોજ બાજપેયી આગળ કહે છે, 'ક્યાંક સુશાંત ઇન્ડસ્ટ્રીમાં રાજકારણ અને જૂથવાદને સંભાળી ના શક્યો. જેમ જેમ વ્યક્તિ તેની કારકિર્દીમાં આગળ વધે છે તેમ તેમ સ્પર્ધા વધે છે. તમે સમસ્યાઓનો સામનો કરો છો. ઉદ્યોગમાં રાજકારણ હંમેશા રહ્યું છે. જેમ જેમ તમે સફળતાની સીડી ઉપર ચઢો છો તેમ તેમ તે વધુ ગંદું થતું જાય છે. મને તેની સાથે ક્યારેય કોઈ સમસ્યા ન હતી, કારણ કે હું હઠીલા અને જાડી ચામડીનો હતો. પરંતુ તે ન હતો અને તે તેના જેવા દબાણને સંભાળી શક્યો ન હતો. તેણે મારી સાથે આ બાબતો વિશે વાત કરી કારણ કે, તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો.

સુશાંતનો આત્મા ખૂબ જ શુદ્ધ હતો ‌-મનોજ બાજપેયી

મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું કે, શું સુશાંત સિંહ રાજપૂત નેપોટિઝમનો શિકાર બન્યો હતો? તો અભિનેતાએ તેને ફગાવી દીધો હતો. મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, તે પોતાના માટે ખૂબ જ અલગ પ્રકારની કારકિર્દી ઇચ્છતો હતો. 'ધ ફેમિલી મેન' ફેમ અભિનેતાએ કહ્યું હતું કે, જો તમારે મનોજ બાજપેયી બનવું હોય તો અહીં કોઈ રાજકારણ નથી. પરંતુ તે સ્ટાર બનવા માંગતો હતો અને તેમાં ઘણી હરીફાઈ છે. જે કોઈ સ્ટાર બનવાનું નક્કી કરે છે, તે તેને હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ સુશાંત આ બધું સહન કરી ના શક્યો. મને લાગ્યું કે, તેનો આત્મા ખૂબ જ શુદ્ધ છે અને તે અંદરથી એક નાનું બાળક છે. તે બાબતને સમજી ના શક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget