જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
સુરતના સરથાણામાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન: હીરા સોલંકીએ બગદાણા હુમલા કેસમાં તોડ્યું મૌન; કહ્યું- "હુમલાખોરોએ દહેશત ફેલાવવા વીડિયો ઉતાર્યો એ મને મગજમાં ખટકી ગયું, હવે કોઈની શરમ નહીં ભરાય."

Hira Solanki Statement Surat: ભાવનગરના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ બાદ માહોલ ગરમાયો છે. ગત રાત્રે એટલે કે 26 January ના રોજ સુરત (Surat) ના સરથાણા વિસ્તારમાં કોળી સમાજ (Koli Samaj) ની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજુલાના ધારાસભ્ય અને સમાજના અગ્રણી હીરા સોલંકી (Hira Solanki) એ અત્યંત આક્રમક શૈલીમાં હુંકાર કરતા કહ્યું હતું કે, "સમાજ સામે થતી આવી દાદાગીરી (Dadagiri) હવે પછી કોઈ પણ હોય, સહન કરવામાં આવશે નહીં."
"એકલો માર ખાતો હતો છતાં માફી ન માગી" સરથાણાના મેલડી માતાના મંદિર પાસે યોજાયેલી આ બેઠકમાં હીરા સોલંકીએ નવનીત બાલધિયાની હિંમતને બિરદાવી હતી. તેમણે કહ્યું, "એક માર ખાય છે અને સામે આઠ-આઠ જણા મારે છે. છેતરીને બોલાવીને માર્યો, છતાંય એ 'ભડના દીકરા'એ (Brave Son) હજુ સુધી માફી નથી માગી. આ મર્દાનગીની વાત છે, આ સમજજો. મારવું અને માર ખાવું એ બંને મર્દાનગીની જ નિશાની છે."
"વીડિયો ઉતાર્યો એ મને ખટકી ગયું" હુમલાખોરો દ્વારા વાયરલ કરવામાં આવેલી ક્લિપ (Viral Video) અંગે નારાજગી વ્યક્ત કરતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે માર ખાનારનો પરિવાર પુરાવા માટે વીડિયો ઉતારતો હોય છે. પરંતુ અહીં તો ઉલટું થયું, મારવાવાળાએ જ દહેશત (Terror) ઊભી કરવા માટે પોતે જ વીડિયો બનાવ્યો. આ વાત મને ખૂબ દુઃખ આપી ગઈ અને મારા મગજમાં ખટકી ગઈ છે. આવી રીતે દહેશત ફેલાવવી અને દાદાગીરી કરવી એ હવે ચલાવી લેવામાં નહીં આવે."
સમાજની એકતા અને શાંતિ આ મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ખાસ વાત એ હતી કે હજારોની મેદની હોવા છતાં લોકો જમીન પર બેસીને એકદમ શાંતિપૂર્વક પોતાના નેતાને સાંભળી રહ્યા હતા. હીરા સોલંકીના આગમનથી ઉપસ્થિત લોકોમાં એક અલગ જ જોસ્સો જોવા મળ્યો હતો. આ બેઠક માત્ર ચર્ચા માટે નહીં પણ અન્યાય સામે એકજુટ થવાનો સંદેશ આપવા માટે મળી હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. ઉલ્લેખનીય છે કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે, પરંતુ સામાજિક સ્તરે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ યથાવત છે.






















