શોધખોળ કરો

સુશાંત કેસની તપાસ કરવા સીબીઆઇની ટીમ ફરી મુંબઇ પહોંચી, ફરીથી એકઠા કરશે સબૂતો

સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે

મુંબઇઃ દિવંગત બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો દ્વારા મેડિકલ ટીમના પુર્નગઠન માંગ કરતા કેન્દ્રીય તપાસ એજન્સીને લખ્યા બાદ, થોડાક સમય બાદ સીબીઆઇની ટીમ ફરીથી મુંબઇ પહોંચી ગઇ છે. સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે. સુ્ત્રોએ કહ્યુ કે, તપાસની માંગ અનુસાર એક તો અધિકારીઓની ટીમ નિયમિત સમયના અંતરાલમાં મુંબઇની મુલાકાત કરતી રહે છે, જ્યારે મુંબઇમાં સીબીઆઇના અધિકારીઓ પણ હાજર છે. જોકે, સુત્રોએ દિલ્હીથી મુંબઇ પહોંચેલા સીબીઆઇના અધિકારીઓના નામ નથી લીધા. આ ટિપ્પણી સુશાંતના વકીલ વિકાસ સિંહના દીકરા વિરુણ સિંહ દ્વારા સીબીઆઇને પત્ર લખ્યા બાદ આવી છે. તેને પત્રમાં એઇમ્સના હત્યાની સંભાવનાને ફગાવી દેવાના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે ફૉરેન્સિક બોર્ડની ફૉરેન્સિક તપાસ દોષપૂર્ણ છે. પત્રમાં તેમને કહ્યું- હું સુશાંત સિંહ રાજપૂતના 14 જૂન, 2020એ થયેલા મોત મામલામાં એઇમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા રિપોર્ટ વિશે મીડિયામાં વાંચી રહ્યો છું. મે એઇમ્સના કેટલાક ડૉક્ટરોને ટીવી પર આ ફૉરેન્સિક તપાસ સંબંધમાં નિવેદન આપતા પણ જોયા છે. મીડિયામાં બતાવવામાં આવી રહેલી એઇમ્સની ફૉરેન્સિક રિપોર્ટ જો સાચી હોય તો પુરતા સબૂતો સાથે આવો નિષ્કર્ષ કાઢવો ખોટો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભલામણ પર સીબીઆઇએ સુશાંતના મોતની તપાસ શરૂ કરી હતી. વરુણે કહ્યું કે, કેમકે માસ્ટરમાઇન્ડ હજુપણ જામીન પર બહાર છે, આ એનસીબી અને સુશાંત કેસ માટે મોટો ઝટકો છે. એજન્સી દેશમાં 1.35 લાખ કરોડના ડ્રગ્સ સિન્ડિકેટને લઇને તપાસ કરી રહી હતી, આવામાં જે લોકો આ ગુના સિન્ડિકેટના સભ્યો છે તેમને મોટી રાહત મળી છે, અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનુ કામ પણ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget