શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે પોતાના પાલતુ જાનવરોને છોડી મુકતા લોકો પર ભડકી આ એક્ટ્રેસ, જાણો વિગતે
ટલાક લોકો પોતાનો જીવ બચાવવા અને કોરોનાથી બચવા માટે હવે પોતાના પાલતુ જાનવરોને છોડી રહ્યાં છે. આવા લોકો પર બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ ગુસ્સો ઠાલવ્યો છે
મુંબઇઃ કોરોના વાયરસના ખતરાને કારણે દુનિયાભરના લોકો અનેક પ્રકારની મુસીબતોમાં ફસાયા છે, ત્યારે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા અને કોરોનાથી બચવા માટે હવે પોતાના પાલતુ જાનવરોને છોડી રહ્યાં છે. આવા લોકો પર બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ ગુસ્સો ઠાલવ્યો છે.
સોનાક્ષી સિન્હાએ એક ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે, તેને એક ટ્વીટમાં લખ્યું કે- હું છેલ્લા કેટલાય સમયથી સાંભળી રહી છું કે, લોકો પોતાના કુતરાઓને બહાર છોડી રહ્યાં છે, કેમકે તેમને લાગે છે કે આ વાયરસ આ જાનવરોના કારણે ફેલાઇ રહ્યો છે. મારી પાસે તમારા લોકો માટે એક સમાચાર છે- તમે બેવકૂફ છો, અને તમારે માત્ર તમારુ અજ્ઞાન અને બેદર્દીને છોડવાની જરૂર છે.
સોનાક્ષી સિન્હાના આ ટ્વીટ પર કેટલાક લોકોની જુદીજુદી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
ખાસ વાત છે કે, બૉલીવુડના અન્ય સ્ટાર્સની જેમ સોનાક્ષી સિન્હા પણ હાલ પોતાના ઘરે સમય વિતાવી રહી છે, તેનુ કહેવુ છે કે જ્યારે લૉકડાઉનનો સમય પુરો થશે ત્યારે તે સમુદ્રમાં નહાવા જશે. હાલ સોનાક્ષીના ઇન્ટાગ્રામ પર 1.9 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement