શોધખોળ કરો

Sidharth-Kiara: સૂર્યગઢ પેલેસમાં મંડપ, મુંબઈમાં રિસેપ્શન, સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે 84 લક્ઝરી રૂમ બુક

Sidharth-Kiara Wedding: 6 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન કરવા જઈ રહ્યા છે તેવી ખબર ઘણા સમયથી ચાલી રહી છે. લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Sidharth-Kiara Wedding: જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં મહેમાનો માટે 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે અને તેઓ 4 ફેબ્રુઆરીએ પહોંચશે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી હવે બધાની નજર વધુ એક મોટા ભારતીય લગ્ન પર ટકેલી છે. આ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન છે. સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી તેમના લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે અને તમામ ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. લગ્નમાં 100થી 125 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોની આ યાદીમાં બોલિવૂડથી લઈને અન્ય ક્ષેત્રની અનેક હસ્તીઓના નામ સામેલ છે. જેમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન, કરણ જોહર અને વરુણ ધવન સુધીના ઘણા સેલેબ્સના નામ સામેલ છે.

84 લક્ઝરી રૂમ બુક, આટલું છે ભાડું

અહેવાલો અનુસાર સૂર્યગઢ પેલેસમાં લક્ઝરી વિલા મહેમાનો માટે બુક કરવામાં આવ્યા છે. લગભગ 84 રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનોની અવરજવર માટે 70થી વધુ લક્ઝરી વાહનોનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ પેલેસમાં લગ્ન માટે રોજનું ભાડું 1 થી 2 કરોડ રૂપિયાની નજીક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની તૈયારીઓની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 4 ફેબ્રુઆરીથી સૂર્યગઢ પેલેસમાં મહેમાનો પહોંચવા લાગશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

હલ્દીથી મહેંદી સેરેમનીની તૈયારી

એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારાની હલ્દી અને સંગીત સેરેમની પણ લગ્નના દિવસે જ થશે. જો કે, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિઓ વિશે સત્તાવાર રીતે કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સૂર્યગઢ પેલેસમાં હલ્દી, સંગીત અને મહેંદી વિધિ માટે સેટ ડિઝાઈન કરવાનું કામ શરૂ થઈ ગયું છે.

કિયારા અને સિદ્ધાર્થ દિલ્હી પહોંચ્યા

જ્યારે કિયારા અડવાણી હાલમાં જ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે દિલ્હી જતી જોવા મળી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે તેના લગ્નના કપડા ફીટ કરવા માટે જતી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હી પહોંચી ચૂક્યો છે. સિદ્ધાર્થ અને કિયારા પંજાબી વિધિથી લગ્ન કરશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

રિસેપ્શન મુંબઈમાં યોજાશે

અહેવાલો અનુસાર જેસલમેરમાં લગ્ન પછી કપલ મુંબઈમાં ભવ્ય લગ્નનું રિસેપ્શન યોજશે. અહેવાલો અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પરિવારે આ ભવ્ય લગ્નને દસ્તાવેજી શોમાં ફેરવવાનું મન બનાવી લીધું છે. આ માટે તેણે એક મોટી વેડિંગ પ્લાનર એજન્સી સાથે પણ વાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget