શોધખોળ કરો

Tunisha Sharma Suicide: મોતના 15 દિવસ પહેલા તુનિષાને પ્રેમમો મળ્યો હતો દગો! અભિનેત્રીની માતાએ કર્યા ઘણા ખુલાસા

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીઝાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે.

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીઝાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યાનો મામલો હાલ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી સેટ પર વોશરૂમમાં ગઈ હતી અને લાંબા સમય સુધી પાછી ફરી ન હતી. દરવાજો તોડતા મૃતદેહ અંદર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારથી  પોલીસ તપાસ ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.

પોલીસનો દાવો છે કે તુનિષા અને શીઝાન રિલેશનશિપમાં હતા. બંનેનું ભૂતકાળમાં બ્રેકઅપ થયું હતું, જે બાદ તુનિષા  હતાશા અને નિરાશામાં આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. તુનિષા આત્મહત્યા કેસમાં તેની માતાએ પણ અભિનેત્રીના બોયફ્રેન્ડ શીઝાન પર આરોપ લગાવ્યો છે. તેમજ તેણે સ્પષ્ટતા કરી છે કે 20 વર્ષીય અભિનેત્રી ગર્ભવતી નહોતી. 

તેમણે કહ્યું કે લદ્દાખ પ્રવાસ દરમિયાન બંનેની નિકટતા વધી હતી. આટલું જ નહીં, તુનિષા દર બીજા દિવસે શિઝાનના ઘરે જતી હતી. અભિનેત્રીની માતાના જણાવ્યા અનુસાર, શિઝાનના પરિવારના સભ્યો, માતા અને બહેન તેમના માટે ખાવા માટે કંઈક રાંધતા હતા. અભિનેત્રીની માતાએ જણાવ્યું કે, 15 દિવસ પહેલા તુનિષાને ખબર પડી કે શિઝાનના જીવનમાં કોઈ બીજું પણ છે જેના પછી તે તૂટી ગઈ. 16 ડિસેમ્બરે, તુનિષા સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને એન્જાઈટી એટેક આવ્યો હતો. ખરાબ તબિયતને કારણે અભિનેત્રીને બોરીવલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં અભિનેત્રી કહી રહી હતી કે 'તેણે મારી સાથે છેતરપિંડી કરી, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે, તેણે મારી સાથે ખોટું કર્યું છે'. 

ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે 'અલી બાબા દાસ્તાન એ કાબુલ' એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. આગામી 4 દિવસ એટલે કે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવશે. રવિવારે એસીપી ચંદ્રકાંત જાધવે તુનીષા શર્મા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મોતનું કારણ ફાંસી છે.

ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, 'પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ ફાંસીથી થયું હતું. લવ જેહાદ જેવી વાત હજુ સામે આવી નથી. શીઝાન અને તુનિષા રિલેશનશિપમાં હતા. બ્રેકઅપના કારણે તુનિષાએ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે. હાલ તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ સતત શીઝાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં રવિવારે પોલીસ શીઝાન મોહમ્મદ ખાનને લઈને મુંબઈની વસઈ કોર્ટમાં હાજર થઈ હતી. જ્યાં પોલીસ દ્વારા શીઝાનના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કારણ કે શીઝાન અત્યાર સુધી પોલીસ તપાસમાં વધુ સહકાર આપી રહ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget