શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું કેવી રીતે થયું મૃત્યુ, પ્રારંભિક રિપોર્ટમાં થયો ખુલાસો

Shefali Jariwala Death: સેલ્ફ મેડિકેશનના કારણે શેફાલી જરીવાલાને આર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે. જોકે, પોલીસે આ કેસમમાં કોઇ ગરબડીની આશંકાને નકારી છે.

Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, ડોકટરોએ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, શેફાલીના કાર્ડિયાક અરેસ્ટનું કારણ  સેલ્ફ મેડિકેશન હોઇ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૂપર હોસ્પિટલના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટરોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ મૌખિક રીતે તેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવી આશંકા અંગે જાણ કરી છે.

શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર દવાઓ લઈ રહી હતી

આ કેસની તપાસ દરમિયાન, પોલીસે અત્યાર સુધીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતાપિતા સહિત 12 લોકોના નિવેદનો નોંધ્યા છે. બધાએ સ્પષ્ટ કર્યું છે કે શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે કોઈ પર કોઈ પણ પ્રકારની આશંકા વ્યક્ત કરી નથી.

પોલીસે શેફાલીના ફ્રિજ અને ટેબલના ડ્રોઅરમાંથી ઘણી દવાઓ જપ્ત કરી છે, જેમાં ગ્લુટાથિઓન કેપ્સ્યુલ્સ, પાન ડીએસઆર, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સ્યુલ્સ, હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંથી કેટલીક દવાઓ ડોક્ટરની સલાહ વગર લઈ રહી હતી.શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા  ફ્રિજમાંથી વાસી ભાત ખાધા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી નોકરાણીએ તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાંથી બચેલા વઘારેલા  ભાત  ખાધા હતા અને પછી એન્ટિ-એજિંગ ઇન્જેક્શન લીધા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ કાવતરું કે ગુનાહિત એંગલ બહાર આવ્યું નથી, પરંતુ આ કેસ એક સેલિબ્રિટી સાથે સંબંધિત હોવાથી, મુંબઈ પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.શેફાલીના મૃત્યુએ સેલ્ફ મેડિકેશન કેટલું  ખતરનાક હોઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.                                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget