19 જાન્યુઆરી 2018: રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર રિવ્યૂ પિટીશન દાખલ કરી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે પદ્માવત રિલીઝ કરનારા સિનેમાઘરોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો.
2/10
25 જાન્યુઆરી 2018: વિરોધ વચ્ચે પદ્માવતી રિલીઝ થઈ.
3/10
23 જાન્યુઆરી 2018: રાતે અમદાવાદમાં કરણી સેનાના કાર્યકરોએ આતંક મચાવી વાહનોમાં આગચંપી કરી શહેરને બાનમાં લીધું. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા.
4/10
18 જાન્યુઆરી 2018: સુપ્રીમ કોર્ટે ફિલ્મ 25 જાન્યુઆરીએ આદેશ કર્યો. ચાર રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવાયો.
5/10
રિલીઝ ડેટ આવતા જ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેસ સરકારે બેન કરી દીધો અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
6/10
નવેમ્બર 2017: પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થયું. કરણી સેનાએ અનેક શહેરોમાં તોડફોડ કરી. ઘૂમર ગીતનો વિરોધ કર્યો.
7/10
28 ડિસેમ્બર 2017: વિવાદ વધતો જોઈ સેન્સર બોર્ડે 3 ઇતિહાસકારોને ફિલ્મ દર્શાવી. જે બાદ નામ પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવ્યું. ફિલ્મમાં 5 ફેરફાર કરવામાં આવ્યા અને રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી.
8/10
27 જાન્યુઆરી 2017: જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલીને કરણી સેનાના યુવકોએ થપ્પડ મારીને સેટ પર તોડફોડ કરી હતી. જે બાદ આ વિવાદ દેશભરમાં શરૂ થયો હતો.
9/10
1 ડિસેમ્બર 2017: પદ્માવતની સૌથી પ્રથમ રિલીઝ ડેટ હતી પરંતુ વિરોધને જોતાં રિલીઝ ડેટ લંબાવવામાં આવી.
10/10
મુંબઈઃ આજે દેશભરમાં આશરે સાત હજારથી વધારે સ્ક્રીન પર પદ્માવત રિલીઝ થઈ રહી છે. કરણી સેનાના વિરોદ બાદ અનેક સિનેમાઘરોમાં ફિલ્મ દર્શાવવામાં નહીં આવે. ગુજરાત સહિત 4 રાજ્યોએ ફિલ્મ રિલીઝથી ઇનકાર કર્યો છે. સરકારે ફિલ્મ દર્શાવવા માંગતા થિયેટર બહાર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, 2017ના રોજ આ વિવાદ શરૂ થયો હતો, તે આજ દિન સુધી ચાલુ છે.