![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raju Srivastav Died: દિવાળીના ફટાકડાથી લઈને દિકરીની વિદાય સુધી.. આ છે રાજુ શ્રીવાસ્તવના 5 બેસ્ટ કોમેડી વીડિયો
ગજોધર ભૈયાના હુલામણા નામથી જાણીતા રાજુ શ્રીવાસ્તવે પોતાની દેશી કોમેડીથી ઘણું નામ કમાયું હતું. તે રાજકારણીઓ અને વહીવટીતંત્રની નબળી વ્યવસ્થા પર પણ કટાક્ષ કરતા હતા.
![Raju Srivastav Died: દિવાળીના ફટાકડાથી લઈને દિકરીની વિદાય સુધી.. આ છે રાજુ શ્રીવાસ્તવના 5 બેસ્ટ કોમેડી વીડિયો Raju Srivastav 5 Best Comedy Video You Must Watch Legendry Comedian Raju Srivastava Dies Raju Srivastav Died: દિવાળીના ફટાકડાથી લઈને દિકરીની વિદાય સુધી.. આ છે રાજુ શ્રીવાસ્તવના 5 બેસ્ટ કોમેડી વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/6baf4748ed92895d336165021cb5c6cc1663753988012369_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Raju Shrivastav Best Comdey Video: બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. દેશના પ્રિય કોમેડિયનની યાદમાં દેશભરમાં શોક મનાવવામાં આવી રહ્યો છે. તેઓ લગભગ 42 દિવસ સુધી દિલ્હીની એક હોસ્પિટલમાં કોમામાં હતા. ગજોધર ભૈયાના હુલામણા નામથી જાણીતા રાજુ શ્રીવાસ્તવે પોતાની દેશી કોમેડીથી ઘણું નામ કમાયું હતું. તે રાજકારણીઓ અને વહીવટીતંત્રની નબળી વ્યવસ્થા પર પણ કટાક્ષ કરતા હતા.
રાજુ શ્રીવાસ્તવ જ્યારે ફિલ્મ સ્ટાર્સની નકલ કરતો હતો અને સામાન્ય લોકોની વાર્તાઓ સંભળાવીને લોકોનું ઘણું મનોરંજન કરાવતા હતા. આજે પણ લોકો યુટ્યુબ પર તેના કોમેડી વીડિયોને મસ્તી સાથે જુએ છે. રાજુના જોક્સ કહેવાની સ્ટાઈલ અને એક્ટિંગ તો એટલી પ્રખ્યાત થઈ હતી કે આજે પણ લોકો યાદ કરે છે. રાજુ શ્રીવાસ્તવની યાદમાં આજે અમે તમને તેમના 5 શ્રેષ્ઠ કોમેડી વીડિયો જણાવી રહ્યા છીએ જે લોકોને જીવનભર મનોરંજન કરાવશે.
દિકરીની વિદાય ઉપર જોક્સઃ
ખરાબ રસ્તા વિશે જોક્સઃ
બચ્ચન સામે બચ્ચનની મિમીક્રીઃ
વોચમેનની હરકતોઃ
દિવાળીના ફટાકડાઃ
તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવે શાહરૂખ ખાનની બાઝીગર, આમદાની અઠન્ની ખર્ચા રૂપૈયા, મેં પ્રેમ કી દિવાની હૂં અને કૈદી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જો તમને યાદ હોય તો, રાજુ ટીવી શો શક્તિમાનમાં પણ જોવા મળ્યો હતો, જેણે પ્રથમ સિઝનમાં ભાગ લીધા પછી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. જો કે, રાજુ શ્રીવાસ્તવને કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી દેશભરમાં ખ્યાતિ મળી હતી.
કોમેડી સિવાય રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. રાજુએ 2014માં લોકસભા ચૂંટણી માટે કાનપુર સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ આપી હતી પરંતુ 11 માર્ચ 2014ના રોજ શ્રીવાસ્તવે એ કહીને ટિકિટ પાછી આપી હતી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળતું નથી. તે પછી, તેઓ 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી તેઓ જુદા જુદા શહેરોમાં પોતાના કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાને આગળ વધાર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)