શોધખોળ કરો
'હું હંમેશાં સલમાનને પ્રેમ કરતી રહીશ', કઈ હીરોઈને સલમાનને સજા પછી આપ્યું આ રીએક્શન ? જાણો વિગત
1/2

સલમાન ખાન પર અદાલતના નિર્ણય પર રાણી મુખર્જીને સવાલ કર્યો જેના જવાબમાં રાણીએ કહ્યું કે, હું હંમેશાથી કહેતી આવી છું કે મારો પ્રેમ હંમેશા તેની સાથે રહેશે. નોંધનીય છે કે ફિલ્મ હમ સાથ-સાથ હૈમાં સલમાનના સહકલાકારો સૈફઅલી ખાન. સોનાલી બેન્દ્રે, તબ્બૂ, નીલમને આ કેસમાં કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. વાસ્તવમાં રાણી મુખર્જી કિડજેનિયાના નવા લોગો લોન્ચ કરવા અને કૈમલિન-હિચકી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
2/2

મુંબઇઃ જોધપુર કોર્ટે બોલિવૂડ દબંગખાન એટલે કે સલમાન ખાનને કાળિયારના શિકાર મામલે આજે જામીન આપ્યા નહોતા. કોર્ટે સલમાન ખાનને કાળિયારના શિકારના બદલામાં પાંચ વર્ષની જેલની સજા આપી હતી. સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સલમાન ખાનને મળેલી સજાને લઇને બોલિવૂ એક્ટ્રેસ રાણી મુખર્જીએ પોતાનું નિવેદન આપ્યું હતું. રાણીના મતે સલમાન ખાન પ્રત્યે તેનો પ્રેમ હંમેશા યથાવત રહેશે.
Published at : 06 Apr 2018 03:50 PM (IST)
Tags :
Rani MukherjeeView More























