શોધખોળ કરો
Advertisement
Exclusive: મુંબઈ બ્લાસ્ટના આરોપી હોવાને કારણે સંજય દત્ત પાસે નથી અમેરિકાના વીઝા, સિંગાપુર જઈ શકે છે
સંજય દત્ત સારવાર માટે અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે.
મુંબઈઃ મંગળવારે સંજય દંતને ફેફ્સાનું કેન્સર હોવાની જાણકારી સામે આવી. ત્યાર બાદથી જ સતત કહેવામાં આવી રહ્યું છે કે તે સારવા માટે અમેરિકા જઈ શકે છે. પરંતુ એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર સંજય ત્ત પાસે અમિરકાના વીઝા જ નથી અને એવામાં સારવાર માટે ત્યાં જવુ તેના માટે મુશ્કેલ છે. જોકે જાણકારી એ પણ ળી છે કે સારવાર માટે વીઝા મેળવવાનો તે પ્રયત્ન કરી શકે છે.
બીજી બાજુ એબીપી ન્યૂઝને એ વાતની જાણકારી પણ મળી છે કે સંજય દત્ત સારવાર માટે અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે, પરંતુ મુશ્કેલી એ છે કે સંજય દત્ત પાસે અમેરિકાના વીઝા નથી અને તે મુંબઈ બ્લાસ્ટમાં સજા ભોગવી ચુકેલ અપરાધીમાં સામેલ છે.
એવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મેડિકલ ગ્રાઉન્ડ પર સંજય દત્તને અમેરિકાના વીઝા મળી જાય. પરંતુ અમેરિકાના કડક કાયદાને જોતા જો તેને અમેરિકામાં સારવાર માટે મંજૂરી ન મળે તો તે સારવાર માટે સિંગાપુર પણ જઈ શકે છે, જે તેના માટે બીજો વિકલ્પ છે. જોકે તેને લઈને પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિકલ્પ તરીકે સિંગાપુરમાં સારવાર માટે જઈ શકે એવી એબીપી ન્યૂઝને જાણકારી મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion