શોધખોળ કરો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

3 ઓગસ્ટ 2026ના શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, હવે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને પણ સરકારી કર્મચારીઓની જેમ જ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રાથમિક શિક્ષકોને તબીબી સારવાર ખર્ચ ચૂકવણીનો લાભ મળશે.
  • લાંબા સમયથી વંચિત શિક્ષકોને આ નિર્ણયથી મોટી રાહત.
  • પ્રાથમિક શિક્ષણ નિયામકની દરખાસ્ત પછી સરકારે મંજૂરી આપી.

Gujarat primary teachers medical reimbursement: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા એક નવા ઠરાવ મુજબ, હવેથી રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ સરકારી કર્મચારીઓની જેમ જ 'મેડિકલ રિઇમ્બર્સમેન્ટ' એટલે કે તબીબી સારવારના ખર્ચની ચૂકવણીનો લાભ આપવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી પ્રાથમિક શિક્ષકોને મોટી આર્થિક સુરક્ષા મળી છે અને આ નવો નિયમ ઠરાવ જાહેર થયાની તારીખથી જ સમગ્ર રાજ્યમાં અમલમાં પણ આવી ગયો છે.

અગાઉના નિયમો પર નજર કરીએ તો, વર્ષ 1980 માં થયેલા એક ઠરાવ મુજબ આ મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ માત્ર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને જ મળતો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબા સમયથી આ લાભથી વંચિત હતા. આ અસમાનતા દૂર કરવા અને પ્રાથમિક શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એપ્રિલ 2024 માં ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ આ સુવિધા આપવા માટે એક વિશેષ દરખાસ્ત સરકારમાં રજૂ કરવામાં આવી હતી.

આ દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા કર્યા બાદ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નાણા વિભાગની સત્તાવાર સહમતી લેવામાં આવી હતી અને અંતે સરકારે આ બાબતે આખરી મંજૂરીની મહોર મારી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ લાભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015' અંતર્ગત મંજૂર કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે જે ધોરણે સરકારી કર્મચારીઓને મેડિકલ બિલ પાસ કરવાની સુવિધા મળે છે, બરાબર એ જ રીતે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ તેમના તબીબી સારવારના ખર્ચનું રિઇમ્બર્સમેન્ટ મળી શકશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

આ અંગેનો સત્તાવાર ઠરાવ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી આર. જે. ચૌધરી દ્વારા રાજ્યપાલશ્રીના આદેશથી બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ સકારાત્મક અને સંવેદનશીલ નિર્ણયથી ગુજરાતભરની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો શિક્ષકોને માંદગીના કપરા સમયે મોટી આર્થિક રાહત અને આરોગ્યલક્ષી સુરક્ષાની ખાતરી મળી છે.

Frequently Asked Questions

ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકો માટે કયો મહત્વનો નિર્ણય લીધો છે?

ગુજરાત સરકારે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને સરકારી કર્મચારીઓની જેમ મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી તેમને તબીબી સારવારના ખર્ચની ચૂકવણી મળશે.

આ નવા ઠરાવનો લાભ કયા શિક્ષકોને મળશે અને ક્યારથી અમલમાં આવશે?

આ લાભ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને મળશે. આ નવો નિયમ ઠરાવ જાહેર થયાની તારીખથી એટલે કે 3 ઓગસ્ટ 2026 થી અમલમાં આવી ગયો છે.

અગાઉ મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ કોને મળતો હતો અને પ્રાથમિક શિક્ષકો માટે શું ફેરફાર થયો છે?

અગાઉ 1980ના ઠરાવ મુજબ માત્ર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જ લાભ મળતો હતો. હવે પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ સમાન રીતે આ સુવિધા મળશે.

પ્રાથમિક શિક્ષકોને મેડિકલ રિઇમ્બર્સમેન્ટ કયા નિયમો હેઠળ મળશે?

આ લાભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015' હેઠળ મળશે. સરકારી કર્મચારીઓની જેમ જ તેમને પણ બિલ પાસ કરવાની સુવિધા પ્રાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget